• પાંચ અણુવ્રતમાં..4thvrat

  • 1
"षण्ढत्वमिन्द्रियच्छेदं, वीक्ष्याब्रह्मफलं सुधीः । मवेत्स्वदारसंतुष्टोडन्यदारान्वा विवर्जयेत् ।।76।। યોગશાસ્ત્ર, બીજો પ્રકાશ."
"નપુસંકપણું, ઇન્દ્રિયછેદ વગેરે અબ્રહ્મચર્ય - વ્યભિચારનું ફળ છે, તે જોઇને બુદ્ધિમાને સ્વસ્ત્રીમાં સંતોષ રાખવો, પરસ્ત્રીનો ત્યાગ કરવો."
જે પાપના ભયથી નહિ કે રાજાદિના ભયથી ન તો સ્વયં, પરસ્ત્રીને ભોગવે છે અને ન તો લંપટ પુરુષો દ્વારા ભોગવાવે છે,
તેની તે ક્રિયા પરદારનિવૃત્તિ યા સ્વદારસંતોષ નામનું બ્રહ્મચર્યાણુવ્રત કહેવાય છે.
સુદર્શન શેઠ રાજાથી ભયભીત થતા નથી તથા મૃત્યુદંડ આપવા છતાંય પોતાના ચારિત્રથી મુખ ફેરવતા નથી. શીલ વ્રતમાં દ્રઢ એવા સુદર્શન શેઠનું દ્રષ્ટાંત.

ચોથું અણુવ્રત: સ્વદારા સંતોષ અથવા સ્થૂલ મૈથુન વિરમણવ્રત.

મિથુન એ સંસ્કૃત શબ્દ છે, તેનો અર્થ યુગલ એવો થાય છે. યુગલ એટલે સ્ત્રાળ અને પુરુષનું જોડું. આ મિથુન (યુગલ) રૂપ સ્ત્રાળ પુરુષની પરસ્પરની કામક્રીડાને મૈથુન કહેવાય છે. આ મૈથુન શબ્દનો અર્થ થયો. હવે મૈથુન શબ્દનો ભાવાર્થ સમજીએ. વેદ મોહનીય કર્મના ઉદયથી સ્ત્રાળ-પુરુષના સહવાસ કે સંયોગથી થવાવાળી પરસ્પરની કામચેષ્ટા રૂપ રતિક્રીડાને મૈથુન કહેવાય છે. શ્રી ઉમાસ્વાતિ મહારાજ સાહેબે તત્ત્વાર્થ સૂત્રમાં `મૈથુનમબ્રહ્મ' મૈથુન શબ્દનો બીજો અર્થ અબ્રહ્મ એવો કર્યો છે.
બ્રહ્મ અને અબ્રહ્મ એટલે શું? જેનું પાલન કરવાથી અહિંસા, ક્ષમા, સમતા, સંતોષ આદિ આધ્યાત્મિક ગુણોની વૃદ્ધિ થાય તેને `બ્રહ્મ' કહેવાય છે અને જેને સેવવાથી અહિંસા, ક્ષમા, સમતા, સંતોષ આદિ આધ્યાત્મિક ગુણોના નાશ થાય તેને `અબ્રહ્મ' કહેવાય છે.
બ્રહ્મચર્યના પાલનમાં આત્મીક સુખોનું આચરણ બતાવ્યું છે જ્યારે અબ્રહ્મના સેવનમાં સાંસરિક અને વૈષયિક સોખોનું આચરણ બતાવ્યું છે. માટે જ બારવ્રતની પૂજાના રચયિતા પૂજ્ય કવિવર્ય ઉપાધ્યાયજી શ્રી વીર વિજયજી મહારાજે કહ્યું છે કે, `એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો'
ચોથુ વ્રત એટલે સ્થૂલ મૈથુન વિરમણવ્રત. એ સર્વ વ્રતોમાં દીપક સમાન છે. કારણકે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનાર આત્માના તેજ પાસે અન્ય વ્રત પાલન કરનાર આત્માના તેજ ઝાંખા પડે છે.
સ્થૂલ મૈથુન વિરમણવ્રત એટલે શું?
સ્થૂલ એટલે અમુક સમય માટે મૈથુન એટલે અબ્રહ્મ, વિરમણ એટલે અટકવું અને વ્રત એટલે પ્રતિજ્ઞા. અમુક સમય માટે અબ્રહ્મના સેવનથી અટકવાની પ્રતિજ્ઞા તેનું નામ સ્થૂલ મૈથુન વિરમણવ્રત. આ અબ્રહ્મ બે પ્રકારે છે 1) સ્થૂલ અને 2) સૂક્ષ્મ
વિજાતીય શરીર સાથે વિષય સેવન કરવું તે સ્થૂલ અબ્રહ્મ અને વેદમોહનીય કર્મના ઉદયે પેદા  થતી  કામવાસનાના  જોરે ઇદ્રિયોમાં જે સહજ વિકાર થાય તે સૂક્ષ્મ અબ્રહ્મ. આ સ્થૂલ અને સૂક્ષ્મ બંને અબ્રહ્મનો ત્યાગ કરવો તેને બ્રહ્મચર્ય કહેવાય છે. તેમાંય સર્વ સ્ત્રાળઓ (વિજાતીય તત્ત્વ) સાથે સર્વ પ્રકારના વિષય સેવનનો ત્યાગ કરવો તે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાલન છે.
સ્વરૂપ
કાયાથી સ્ત્રાળ-પુરુષે પરસ્પર સમાગમ સર્વથા ન કરવો અથવા પોતાની પરણેલી સ્ત્રાળમાં (સ્ત્રાળએ પુરુષમાં) સંતોષ રાખવો, પરસ્ત્રાળ સાથેના સમાગમનો (સ્ત્રાળએ પર-પુરુષગમનનો) ત્યાગ કરવો, દેવ-તિર્યંચ તથા નપુસંક સાથેના વિષયનો ત્યાગ કરવો. મૈથુન સંજ્ઞામાં આરૂઢ થયેલા જીવ તે ક્રિયાથી બે લાખથી નવ લાખ ગર્ભજ પંચેદ્રિય જીવોને, બેઇદ્રિય જીવોને તથા અસંખ્ય સંમૂર્ચ્છિમ પંચેદ્રિયોને મારે છે. શક્તિ પ્રમાણે મૂર્ચ્છા જીતીને દરેક મનુષ્યે બ્રહ્મચર્ય જ ધારણ કરવું હિતવાહ છે. અપેક્ષાએ સોનાનાં જિનભવન કરાવવા કરતાંય બ્રહ્મચર્યના પાલનમાં વધારે લાભ શાસ્ત્રકારે બતાવ્યો છે. પરસ્ત્રાળનો ત્યાગ કરી પોતાની સ્ત્રાળમાં સંતુષ્ટ રહેનાર ગૃહસ્થ મર્યાદિત બ્રહ્મચર્યનો લાભ મેળવે છે.

શ્રાવક - શ્રાવિકાએ ધારવા જેવા વિકલ્પો

  • જીવનભર મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળીશ.
  • જીવનભર વચન અને કાયાથી બ્રહ્મચર્ય પાળીશ.
  • જીવનભર કાયાથી બ્રહ્મચર્ય પાળીશ.
  • અમુક કાળ સુધી મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળીશ.
  • અમુક કાળ સુધી વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળીશ.
  • અમુક કાળ સુધી કાયાથી બ્રહ્મચર્ય પાળીશ.
  • દિવસે બ્રહ્મચર્ય પાળીશ.
 
  •  જીવનભર પરસ્ત્રાળગમન / પરપુરુષગમન કરીશ નહિ.
  • સ્વસ્ત્રાળ / સ્વપુરુષ સાથે પર્વ દિવસોમાં અટ્ઠાઇમાં, ચાતુર્માસમાં તીર્થસ્થાનોમાં બ્રહ્મચર્ય પાળીશ.
  • શ્રાવક - શ્રાવિકાએ લેવા જેવા નિયમો
  • સ્વસ્ત્રાળ / સ્વપુરુષ સાથે પણ અનંગક્રિડા કરીશ નહિ.
  • જેની જવાબદારી નથી તેવાના વિવાહ આદિ કરાવીશ નહિ.
  • અન્યના વિવાહ આદિમાં જઇશ નહિ.
  • વર-વહુના વખાણ, પ્રશંશા કરીશ નહિ.
  • વિકારપોષક ચિત્રો, સાહિત્ય, ટી.વી., પીક્ચર આદિને જોઇશ નહિ.
  • અન્યને વિકાર થાય તેવા વેશ પહેરીશ નહિ.
  • વિકાર પેદા કરાવનાર દ્રવ્યો વાપરીશ નહિ.
  • પુનઃવિવાહ કરીશ નહિ, કરાવીશ નહિ.
  • સ્ત્રાળમિત્રો (સ્ત્રાળએ પુરુષ મિત્રો) કરીશ નહિ.
  • અન્યને વિકાર થાય તેવા રાગપોષક વચનો બોલીશ નહિ.

 ધ્યેય

આત્માએ બ્રહ્મમાં-આત્મામાં ચરવું તે બ્રહ્મચર્ય, તે બ્રહ્મચર્યનો વિશદ અર્થ છે. આત્મામાંથી બહાર નીકળવું તે અબ્રહ્મનો ભાવ છે. આ બ્રહ્મચર્યની ઉચ્ચ કક્ષા અપ્રમત્ત કક્ષામાં રહેલા મહાત્માઓને આવી શકે છે. શાસ્ત્રમાં તો સંસારમાં રહેલા પણ બ્રહ્મચારીને અપેક્ષાએ અળધા સાધુ કહ્યા છે, કારણ કે અબ્રહ્મ એ સાંસારિક જીવનમાં બોજો વહન કરવાનું મૂળ છે. એમ પૂ. હરિભદ્રસૂરીશ્વરજી ફરમાવે છે. બ્રહ્મચર્ય પાળવું એ આત્મધર્મ છે, મોક્ષનો એક અદ્ભુત ઉપાય છે, છતાં દરેક જીવની મન-વચન-કાયાની વર્તમાન પરિસ્થિતિ સરખી નથી હોતી કે જેથી તેઓ સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળી શકવા સમર્થ હોય, તો પણ તેઓ ઉપરોક્ત આદર્શને હૃદયમાં ધારીને માત્ર તીવ્ર વેદોદયની શાંતિ માટે, જગતની અન્ય સર્વ સ્ત્રાળજાતિનો ત્યાગ કરી માત્ર એક સ્વસ્ત્રાળમાં સંતોષ માને અને તે પણ `આ અબ્રહ્મની ક્રિયા, મારી વાસનારૂપી મહાઅગ્નિને મર્યાદિત સમય સુધી શમાવવારૂપ માત્ર દુઃખોપચાર જ છે, પણ સાચું સુખ નથી' એવું દૃઢ રીતે માનતો હોય તો તે પણ મોક્ષમાર્ગમાં પ્રયાણ કરવા લાયક બને છે.

અતિચારો

અપરિગૃહીતાગમન - કોઇએ પણ ગ્રહણ ન કરેલી સ્ત્રાળ, જેમ કે વિધવા, વેશ્યા, કુંવારી કન્યા સાથે અબ્રહ્મ સેવવું, સ્ત્રાળએ કુંવારા, અપંગ, વિધુર પુરુષ સાથે અબ્રહ્મ સેવવું તે.
ઇત્વર પરિગૃહીતાગમન - વેશ્યા આદિ સાથે અબ્રહ્મ સેવવું, સ્ત્રાળએ થોડા સમય માટે અન્યથી વશ કરાયેલા પુરુષ સાથે સંબંધ કરવો તે.
અનંગક્રીડા - પુરુષે પરસ્ત્રાળઓ સાથે (સ્ત્રાળએ પરપુરુષો સાથે) આલિંગનાદિ કામચેષ્ટાઓ કરવી અથવા સ્વસ્ત્રાળ (સ્વપુરુષ) સાથે કામાસનો, સૃષ્ટિ વિરુદ્ધ કર્મ, હસ્તકર્મ તથા કુત્રિમ કામોપકરણો સેવવાં તે.
પરવિવાહકરણ - પારકા છોકરા - છોકરીના `કન્યાદાનનું ફળ મળશે' એવી ઇચ્છાથી, સ્નેહ કે તેવા શોખથી વિવાહ કરવા-કરાવવા અથવા પોતાને એક સ્ત્રાળ હોય છતાં અસંતોષથી બીજી સ્ત્રાળ કરવી, વૃદ્ધાવસ્થાએ લગ્ન કરવાં, કુલીન સ્ત્રાળએ પુનઃ વિવાહ કરવા તે.
તીવ્ર વિલાસ: કામભોગની અતૃપ્તપણે તીવ્ર ઇચ્છા કરી વારંવાર અભિલાષા કરવી તથા વાજીકરણ કે કામવર્ધક ઔષધિઓ વગેરે ખાવી તે.
ચોથા વ્રતના આ પાંચ અતિચારો પ્રયત્નથી ટાળવા અને શિયળની નવ વાડો સાચવવાનો બરાબર ઉપયોગ રાખવો. દ્રષ્ટાંત ૧) સુદર્શન શેઠ. દ્રષ્ટાંત ૨) વિજય શેઠ અને વિજયા શેઠાણી.

4sudarshansheth

પ્રાચીન કાળમાં શુદ્ધ એકપત્નીવ્રત પાલનના અસંખ્ય પુરુષો થઇ ગયા, એમાં સંકટ સહન કરીને પ્રસિદ્ધ પામવાવાળા સુદર્શન નામના એક સત્પુરુષ પણ છે. તે ધનાઢ્યા, સુંદર કાંતિમાન અને યુવાન હતા. જે નગરમાં તે રહેતા હતા તે નગરના રાજદરબારના સામેથી તે કોઇ કાર્ય પ્રસંગે ત્યાંથી નીકળી રહ્યા હતા. ત્યારે તે નગરની રાણી અભયાની દૃષ્ટિ તેના પર પડી તેનું ઉત્તમ રૂપ જોઇ રાણીનું મન લલચાયું. તેણે એક દાસીને મોકલી કપટભાવથી કોઇ કારણ દઇ સુદર્શનને તેમની પાસે બોલાવ્યો. ઘણીબધી વાતચીત કર્યા બાદ અભયા રાણીએ સુદર્શનને ભોગ ભોગવવાનું આમંત્રણ આપ્યું. સુદર્શને તેને ઘણો ઉપદેશ દીથો તો પણ રાણીનું મન શાંત ન પામ્યું, છેલ્લે તંગ આવીને સુદર્શને યુક્તિથી કર્યું `બહેન ! હું પુરુષત્વહીન છું!'' તો પણ રાણી ન માની કરગરવા લાગી અને અનેક યુક્તિઓ કરી પરંતુ તે બધી ચેષ્ટાથી સુદર્શન શેઠ વિચલીત થયા નહિ. ત્યારે તંગ થઇ રાણીએ તેને જવા દીધો.
એક વખત નગરમાં ઉત્સવ હતો બધા નગરવાસીઓ આનંદથી અહીં-ત્યાં ફરતા હતા, ધુમધામ મચેલી હતી.ત્યાં સુદર્શન શેઠના છ દેવકુમાર જેવા પુત્ર પણ આવ્યા હતા. અભયા રાણીએ કપિલા નામની દાસી સાથે ઠાઠમાઠથી ત્યાં આવી હતી. તેણે કપિલાને પુછ્યું આવા રમ્ય પુત્ર કોણા છે? કપિલાએ સુદર્શન શેઠનું નામ લીધું. આ નામ સાંભળતા જ રાણીની છાતીમાં માનો કટાર ભોંકાઇ ગઇ હોય તેવી ઘાતક ચોટ લાગી. બધી ધૂમધામ વીત્યા પછી માયાવી વાતો બનાવી અભયા અને કપિલા મળીને રાજાને કહે છે `તમે માનતા હશો કે મારા રાજ્યમાં ન્યાય અને નીતિનું પ્રવર્તન છે, દુર્જનોથી મારી પ્રજા દુઃખી નથી પરંતુ આ બધું મિથ્યા છે. અંતઃપુરમાં પણ દુર્જન પ્રવેશ કરે અને હજી અહીં અંધારું છે તો બીજા સ્થાનો વિશે પૂછવું જ શું? તમારા નગરના સુદર્શન શેઠે મને ભોગ માટે આમંત્રણ આપ્યું, ન સાંભળવા જેવું મારે સાંભળવું પડ્યું પણ મે તો તેનો તિરસ્કાર કરી નાખ્યો. હજી આનાથી બીજું અનર્થ શું હોઇ શકે. કાનના કાચ્ચા રાજા ઉપર સ્ત્રાળના માયાવી મધુર વચન અસર કરી ગયા અને ક્રોધાયમાન થઇ સુદર્શન શેઠને ફાંસી પર ચઢાવી દેવાની તત્કાલ આજ્ઞા કરી, એ રીતે સેવકોએ તૈયારી પણ કરી માત્ર શેઠને શુળી પર ચઢવાની વાર હતી.
ચાહો ગમે તે હોય પણ, સૃષ્ટિના દિવ્ય ભંડારમાં અજવાળું જ છે. સત્યનો પ્રભાવ ઢંકાય નહિ, સુદર્શનને શુળી પર  ચડાવવા લઇ ગયા ત્યાં તો શુળી મટીને જગમગતું સોનાનું સિંહાસન થઇ ગયું, અને દેવદુંદુભીનો નાદ થયો, બધે જ આનંદ છવાઇ ગયો. સુદર્શનના સત્ય શીલ વિશ્વમંડળમાં ઝળકી ગયું. સત્ય શીલની સદાય જય છે. શીલ અને સુદર્શનની ઉત્તમ દૃઢતા આ બન્ને આત્માને પવિત્ર શ્રેણી પર ચડાવે છે.
શ્રી જિનશાસનના ઇતિહાસમાં લખાયેલા બ્રહ્મચારીઓના નામો
સ્થુલીભદ્રજી ઃ સંસારી અવસ્થામાં કોશાને ત્યાં રહ્યાં છતાં સંયમી થઇ વેશ્યાના કારાગૃહમાં ચોમાસું કરી વેશ્યાને પ્રતિબોધ પમાડી વારાંગનામાંથી વિરાંગના બનાવી પોતે નિષ્કલંક બ્રહ્મચારી તરીકે પ્રસિદ્ધિ પામ્યા અને પોતાના નામને 84 ચોવીશી સુધી અમર બનાવ્યું. વિજયા શેઠ અને શેઠાણી ઃ ત્રિવિધે બ્રહ્મચર્ય પાળી સંયમ લઇ ધન્ય બન્યા. વિમલ કેવલીના વચન અનુસાર વ્રતધારી શ્રાવક-શ્રાવિકાની સાધર્મિક ભક્તિ કરવાથી 84 હજાર સાધુની સુપાત્રદાનની ભક્તિનું પુણ્ય થાય છે. રહનેમિજીને રાજમતિએ સંયમમાં સ્થિર કર્યા હતા. અષાઢાભૂતિ ભાન ભુલેલી નટકન્યાને જોઇ ફરી સંયમી બન્યા. સુદર્શન શેઠ અભયારાણીની ઇર્ષાના કારણે આપત્તિમાં આવ્યા પણ બ્રહ્મચર્ય વ્રતના દૃઢ પાલનના કારણે દેવતાએ શુળીનું સિંહાસન કર્યું. ભવદેવ મુનિને નાગિલાએ સંયમમાં સ્થિર કર્યાં. ભવદેવે નાગિલાને કહ્યું, નાગિલા હું તારો કંત છું. ત્યારે નાગિલાએ કહ્યું, ભવદેવ તમે મારા કંત નહિ પણ જિનશાસનના સંત છો સંત. તેવી જ રીતે ભવદેવે નાગિલાને કહ્યું નાગિલા હું તારો વર છુ ત્યારે નાગિલા એ કહ્યું કે ભવદેવ તું મારો વર નહિ પણ જિનશાસનનો મુનિવર છે મુનિવર. આમ નાગિલામાં આસક્ત બનેલ ભવદેવને નાગિલાએ વ્રત પાલનમાં સ્થિ કર્યા. નવ નારદ બ્રહ્મચર્યના પાલનથી મોક્ષે ગયા. નટડીમાં મોહિત થયેલ ઇલાચીકુમાર ગૌચરી વ્હોરતા મુનિભગવંત અને રૂપ, સૌંદર્ય અને લાવણ્યથી ભરપૂર પદ્મિની સ્ત્રાળને જોઇ સંયમમાં સ્થિર થયા. રાણકપુર તીર્થના નિર્માતા ધરણા શાહે 21 વર્ષની યુવાન વયે બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું હતું. તેવી જ રીતે માંડવગઢના મહામંત્રી પેથડ શાહ અને તેની પત્ની પ્રથમિનિએ 32 વર્ષની યુવાન વયે બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું હતું.

4vijayashethકચ્છ દેશમાં ભદ્રેશ્વર નામે મોટા નગરમાં પરમાત્મા અરિહંતના ઉપાસક અર્હદ્દાસ શ્રેષ્ઠી રહેતા હતા. તેમની પત્ની પણ તેવી જ ધર્મિષ્ઠ અને શ્રદ્ધાળુ હતી. નામ હતું અર્હદ્દાસી. તેમને વિજય નામનો દેવકુમાર જેવો એકનો એક પુત્ર હતો.  તેને પણ બાલ્યકાળથી જ ધર્મપ્રત્યે સારી રુચિ હતી. તે સદા ધર્મશ્રવણ અને ગુરુમહારાજ પાસે ધાર્મિક અભ્યાસ કરતા.
વિજયકુમાર એકવાર ગુરુમહારાજના મુખે ઉપદેશમાં સાંભળ્યું કે ઃ શીલરૂપ સદાશોભન અલંકારધારી મહાનુભાવોની દેવો પણ સેવા કરે છે. બધી સિદ્ધિઓ સાથે જ રહે છે અને સંપત્તિ કદી પણ દૂર જતી નથી. એક જ શીલના લાભ ઘણા. ઇત્યાદિ ધર્મદેશનામાં શીલનું મહિમાવંતુ માહાત્મ્ય જાણી વિજયકુમારે કિશોરાવસ્થામાં પરદારા ત્યાગ અને સ્વદારા સંતોષ વ્રત લીધું. તેમાં પણ એવો નિયમ કર્યો કે `શુક્લપક્ષમાં સ્વસ્ત્રાળનું સેવન પણ કરવું નહિ'

 

4thvrat-1એ નગરીમાં ધર્મનો મહિમા મોટો, વીતરાગ દેવના શાસનમાં સાધુ-સાધ્વીઓ જ્યાં વિચરતા હોય ત્યાં લોકો રાગમાંથી વિરાગમાં વધુ આનંદ જોઇ શકે તે સ્વાભાવિક છે. એ જ નગરમાં ધનાવહ નામના અતિ ધનાઢ્ય ધર્મિષ્ઠ શેઠ રહેતા તેમને ધનશ્રી નામની ધર્મપ્રિત પત્ની હતી. વિજયા નામની એક સુંદર દિકરી હતી. વિજયા પણ સદા ધર્મકર્મમાં તત્પર રહેતી. ગુરુ મહારાજના ઉપદેશથી તેણે વિચાર કર્યો કે `શ્રમણજીવન ન લઇ શકાય તો ગૃહસ્થ જીવનમાંય કેટલાંક તો અવશ્ય આદરી શકાય' અને તેણે પરપુરુષત્યાગવ્રત ઉપરાંત એવો નિયમ કર્યો કે કૃષ્ણ પખવાડીયામાં પોતાના પતિનો સંયગ પણ છોડવો.' યોગાનુંયોગ સમાન ધન-વય-રૂપ અને વૈભવવાળા વિજય - વિજયાના ઠાઠમાઠથી લગ્ન થયા.
લગ્નની પ્રથમ રાત્રીએ વિજયા શેઠે વિજયા શેઠાણીને કહ્યું `આજે આપણા જીવનની એક વિલક્ષણ ઘડી છે, દરેક નારીની જેમ તારા હૈયામાં પણ કેટલાય સ્પંદનો ઉઠતા હશે પણ હે સુભદ્રા! મેં પહેલાથી જ શુક્લ પક્ષમાં શિયળ પાળવાનો નિયમ લીધો છે તેની જાણ કરતા હતા ત્યારે વિજયા શેઠાણી તેમના તરફ અવાચક થઇ તેમને જોતી રહી, વિજયા શેઠે કહ્યું `જુઓ આપણે ઉત્તમ કુળમાં જન્મેલા છીએ, વિતરાગના ધર્મનું આપણને શરણું મળેલ છે છતાં તમે આમ ચિંતાતુર કેમ છો તે જણાવો? ત્યારે વિજયા શેઠાણીએ પણ તેમના બાળપણમાં લીધેલા નિયમની જાણ કરી કે `કૃષ્ણપક્ષમાં શિયળ પાળવાનો મેં પણ નિયમ લીધો છે.' આ જાણી શેઠ શેઠાણી થોડી ઘડી એક બીજાની સ્થિતી અને ભાવી ગૃહસંસારને તેની ઉર્મિના વિચારે ચડ્યા. બન્ને સુપાત્ર જીવો સમજતા હતા કે અનિચ્છાએ પાળેલું શિયળ પણ કલ્યાણ માર્ગને પ્રશસ્ત કરે છે ત્યારે એણે તો સમજીને નિયમ લીધો છે.
થોડી વારમાં બન્ને સ્વસ્થ થઇ અબ્રહ્મથી થતી હાની અને બ્રહ્મચર્યના મહિમાની વાતો કરતા કરતા અધ્યાત્મની શ્રેણી ચઢતા ગયા, પરાધીન બધું જ દુઃખ જ છે, વિષયા સેવનમાં અલ્પમાત્ર સુખ નથી પણ સુખાભાસ છે. સ્વાધીન સુખ તો માત્ર આત્મજ્ઞાની જ માણે છે. સંસારમાં દેહ અને ઇંદ્રિયની અનુકૂળતાને સુખ કહેવાય છે પરંતુ ખરેખર તો સર્વ દુઃખ અને ક્લેશનું મૂળ કારણ જ શરીર અને ઇંદ્રિયોમાં એકત્વપણું છે. વિજય શેઠ સમજાવતા કહે છે કે
વિષસ્ય વિષયાણાં ચ પશ્યતાં મહદન્તરમ્ । ઉપભુત્કં વિષં હન્તિ, વિષયાઃ સ્મરણાદપિ ।।1।।
અરે વિષ અને વિષયનું અંતર તો જુઓ કેટલું મોટુ છે? વિષ ખાધું હોય તો મૃત્યુ થાય પરંતુ વિષય તો સ્મરણમાત્રથી મારી નાંખે છે. માટે હે મહાભાગ! તારા પણ સારા ભાવ અને ઉત્તમ નિયમ છે. માટે આપણે બંન્નેને અચિંત્ય શીલપાલનનો લાભ મળી ગયો છે. કોઇને જણાવશું નહિં, તેમ છતાં આપણી વાત જે દિવસે ઉઘાડી પડશે તે દિવસે આપણે અવશ્ય સંયમ લેશું. આવો અટલ નિર્ણય લઇ તે બંને પોતાના પ્રાણની જેમ શિયલનું રક્ષણ કરવા લાગ્યા. તેઓને એક જ પલંગમાં સાથે સુવુ પડતું છતાં તેમનામાં કદી ચંચળપણું આવ્યું ન હતું. તેઓ એટલા નિર્મળ સત્ત્વશાળી થયા કે બન્ને એક બીજાને સત્સંગની સીડી બનાવી અધ્યાત્મના શીખરો સર કરવા લાગ્યા, એકાંતમાં બેઠા હોય ત્યારે પણ શીલગુણને આચરનારા મહાત્માઓના ગુણો ગાતા આવી રીતે ભાવસંયમીનું જીવન જીવતા કેટલોક સમય ચાલ્યો ગયો.
4thvrat-2એકવાર ચંપાનગરીમાં વિમળસેન નામના કેવળજ્ઞાની મુનિ પધાર્યા, દેશનાના અંતે ત્યાંના નગરશેઠ જિનદાસે કહ્યું `ભગવન્ ! મેં એવો અભિગ્રહ કર્યો છે કે ચોર્યાશી હજાર સાધુ મહારાજોને પારણું કરાવવું આ મારી અભિલાષા ક્યારે પૂર્ણ થશે'? કેવળી ભગવંતે કહ્યું ભાગ્યશાળી આટલા બધા સુપાત્ર સાધુઓના યોગ તમારા ઘરે કદાચ કોઇ દૈવયોગે જ સંભવિત થાય પણ એટલા બધા મુનિરાજોને તમારા ઘરેથી શુદ્ધ આહાર પાણી ક્યાંથી મળી શકે?' આ સાંભળી વિલેમોઢે શ્રાવકે પૂછ્યું મારી આ ભાવના દરિદ્રીના મનોરથની જેમ નિષ્ફળ જશે? તો મને સદા માટે અસંતોષ રહેશે કોઇ ઉપાય હોય તો કહો. ને તે કેવળી ભગવંતે કહ્યું ભલા શ્રાવક! કચ્છ દેશમાં મહાભાગ્યશાલી વિજયશેઠ અને વિજયાશેઠાણી નામે પતિ-પત્નિ રહે છે તેમની તમે આહારાદિથી ભક્તિ કરશો તો ચોર્યાશી હજાર સાધુ મહારાજના પારણા જેટલો લાભ મળશે. કારણ કે શુક્લ અને કૃષ્ણ એમ બંન્ને પખવાડીયા બ્રહ્મચર્યવ્રત ધારણ કરનાર દંપતીને ભોજન કરાવ્યાથી ચોર્યાશી હજાર સાધુઓને પારણું કરાવ્યાનો લાભ મળે છે. આ સાંભળી શેઠે વિજયશેઠનો સંપૂર્ણ વૃત્તાંત જાણ્યો ને ઉત્કટ ભક્તિવાળા હૃદયે તેઓ કચ્છમાં આવ્યા, વિશિષ્ટ પ્રકારે દંપતીની ભક્તિ કરી અને તેમનું અતિદુષ્કર વ્રત તેમ જ જીવનની ઉત્તમતા તેમણે મોટા જનસમૂહમાં પ્રગટ કરી. વિજયશેઠના માતા-પિતા પણ આ વાત જાણી આýાર્ય પામ્યા. જિનદાસ શેઠે મનોરથ પૂરા કરી ઘરે પાછા ફર્યા. વિજયશેઠ વિજયા શેઠાણીએ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થતા દીક્ષા લીધી અને મુક્તિ પણ પામ્યા.
આમ શીલના માહાત્મ્યથી તે પતિ પત્ની હજારો મુનિ કરતા વિશેષતાને પામ્યા. માટે સર્વ સુખનું કારણ અને સર્વ દુઃખનું નિવારણ કરતા શીલવ્રત પાળવામાં સહુએ ઉદ્યમ કરવો.

endlne