• પાંચ અણુવ્રતમાં..5thvrat

  • 1
"असंतोषमविश्वासमारम्भं दुःखकारणम् । मत्वा मूर्छाफलं कुर्यात्परिग्रहनियन्त्रणम् ।।106।। યોગશાસ્ત્ર, બીજો પ્રકાશ."
"મહાદુઃખને કરનારા અસંતોષ, અવિશ્વાસ, આરંભ વગેરે મૂર્છાનો ત્યા અથવા મર્યાદિત પરિમાણ કરવું - મર્યાદા બાંધવી."
વસ્તુ એ પરિગ્રહ નથી પણ વસ્તુ પરની મૂર્છા, આશક્તિ, મમત્વભાવ એ પરિગ્રહ છે. અતૂલ્ય રત્નો,
અનમોલ સંપત્તિ હોવા છતા પરિગ્રહમાં આશક્ત હોવાથી મમ્મણશેઠની દુર્ગતી, આ બધું જ હોવા છતાં મમત્વ અને આશક્તિના અભાવથી વિદ્યાપતીની સદ્ ગતિ.

પાંચમું અણુવ્રત : સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત

પરિગ્રહ એટલે મમતા, મૂર્ચ્છા, ધન વગેરેની કારમી આસક્તિ. વધુને વધુ મેળવવાની ઝંખના. જે છે તે જરાય ઓછું ન થઇ જાય તેની પળે પળે સાવધાની. જે મળ્યું હોય તે સદા ઓછું જ લાગવાના કારણે પેદા થતી દીનતા. તેનું નામ પરિગ્રહ.
ગૃહસ્થને સાંસારિક, સામાજિક, કૌટુંબિક જવાબદારી પૂરી પાડવા ધનની આવશ્યકતા તો રહે જ. પણ તે માટે ગમે તેટલા દુષ્ટ બનવું, નીતિ નિયમો ત્યાગી અભરાઇએ ચડાવવા, બીજાનું આંચકી લેવું, વિશ્વાસઘાત, પ્રપંચોનો આશરો લેવો એટલું મૂર્ચ્છિત તો ન જ થવું. રાજા શ્રેણીકના રાજ્યમાં વસતા પેલા મમ્મણ શેઠ, પુષ્કળ સંપત્તિનો સ્વામી, રાજાની સંપત્તિ પણ તેની તોલે ન આવે આવો મહાધનાઢ્ય શ્રીમંત દુઃખી કેમ? ચોળાનું ભોજન જ તેના નસીબમાં કેમ? મહા મહીનાની કડકડતી ઠંડીમાં રાત્રીના સમયે નદીના ઠંડા પાણીમાં લાકડા ભેગા કરવા તેણે કેમ જવું પડે? તેના જીવનમાં અઢળક સંપત્તિ વચ્ચે પણ સુખ-શાંતિ કેમ નહિ? શા માટે મૃત્યુ પýાાત સાતમી નરકનું દુઃખ? આ દરેક સવાલનો એક જ જવાબ મળશે કે `આસક્તિ'. ધનની આસક્તિ. ધન વધારવાની અગાધ ઇચ્છા. મર્યાદાથી અતિ પરિગ્રહ. દિવાળીના ચોપડા પૂજન કરતી વખતે મમ્મણને કોઇ યાદ નથી કરતું, શાલિભદ્રની ઋદ્ધિ હોજો એમ લખાય છે. કારણ કે શાલીભદ્રને અઢળક સંપત્તિ હોવા છતાં તે પ્રત્યે આસક્ત નહોતો, મૂર્છા નહોતી.
ગૃહસ્થે જીવનમાં જરૂરી સર્વ પદાર્થો જેમ કે ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, ચાંદી, સોનું, વાસણ, દ્વિપદ એટલે કે નોકર ચાકરો, ચતુષ્પદ એટલે હાથી, ઘોડા, ગાય, ભેંસ વગેરે. આ બધાનું પ્રમાણ મર્યાદિત કરી તેનું વ્રત લેવું તેનું નામ પરિગ્રહ પરિમાણ વ્રત.
અમાપ ઇચ્છાથી કર્મબંધ થાય છે. ઇચ્છાનું પ્રમાણ મર્યાદિત કરવાથી કર્મબંધ પણ મર્યાદિત થાય છે. ઇચ્છા મર્યાદિત થવાથી સંતોષ નામનો આત્મિક ગુણ સિદ્ધ થાય છે.
પરિગ્રહ એટલે શું? તેનાં કેટલા પ્રકાર? ક્યા ક્યા?
પ્રભુવીરે દશવૈકાલિક સૂત્રમાં સાધુને (શ્રાવકને) ઉદ્દેશીને કહ્યું છે કે, વસ્તુ એ પરિગ્રહ નથી પણ વસ્તુ ઉપરની મૂર્ચ્છા, મમત્વભાવ, એકત્વપણું, આશક્તિ એ પરિગ્રહ છે. ચાર સંજ્ઞામાંથી પરિગ્રહ નામની સંજ્ઞા જીવને ભવોભવ નચાવે છે. પરિગ્રહ એ લોભ, ઇર્ષા અને દ્વેષનું ઘર છે. જેથી કરી જીવને ચારે બાજુથી હેરાન થવું પડે છે. પીડાવું પડે છે. આ પરિગ્રહ બે પ્રકારે છે.
1) બાહ્ય પરિગ્રહ 2) અભ્યંતર પરિગ્રહ.
બાહ્ય પરિગ્રહ નવ પ્રકારે છે. જે વંદિત્તાસૂત્રની 18મી ગાથામાં બતાવ્યા છે.

ધણ-ધન્ન-ખિત્ત-વત્થ્; રુપ્પ-સુવન્ને અ કુવિઅ પરિમાણે,
દુપએ ચઉપ્પયમ્મિ ય, પડિIમે દેસિઅં સવ્વં.

1) ધણ એટલે ધન: જે ચાર પ્રકારે છે. જેમાં ગણિમ એટલે ગણીને લેવાય તેવી વસ્તુઓ. દા.ત. રોકડ રકમ, સોપારી, શ્રીફળ વગેરે.
ધરિમ એટલે તોળીને, જોખીને લેવાય તેવી વસ્તુઓ. દા.ત. ગોળ, સાકર, અનાજ વગેરે.
મેય એટલે માપીને લેવાય તેવી વસ્તુઓ. દા.ત. ઘી, તેલ, કાપડ વિગેરે.
પરિછેદ્ય એટલે કસીને કે છેદીને લેવાય તેવી વસ્તુઓ. દા.ત. સોનું, ચાંદી, રત્ન વગેરે.
2) ધન્ન એટલે ધાન્ય: જેમાં જવ, ઘઉં, ચોખા વિગેરે ચોવીશ પ્રકારના ધાન્યનો સમાવેશ થાય છે.
3) ખિત્ત એટલે ક્ષેત્ર: જેમાં સેતુ, કેતુ, સુતકેતુ દ્વારા અનાજ ઉત્પન્ન થાય તેવી ભૂમિ, જમીન, બગીચા વાડી વગેરે.
હવે સેતુ એટલે નદી, કૂવાના પાણીથી જે ભૂમિ સિચાય તે ક્ષેત્ર, ભૂમિ, જમીન, બગીચા, વાડીને સેતુ કહેવાય.
કેતુ એટલે વરસાદના પાણીથી જે ભૂમિ સિંચાય તે ક્ષેત્ર. ભૂમિ, જમીન, બગીચા, વાડીને સેતુ કહેવાય. સેતુકેતુ એટલે નદી અને વરસાદના પાણીથી જે ભૂમિ સિંચાય તે ક્ષેત્ર-ભૂમિ, જમીન, બગીચા વાડીને સુતકેતુ કહેવાય.  ઉપરના ત્રણેય સેતુ, કેતુ, સુતકેતુનો સમાવેશ ક્ષેત્રમાં થાય છે.
4) વત્થુ એટલે વાસ્તુ: ઘર, મકાન, બંગલો, બ્લોક, રૂમ, ફ્લેટ, ટેનામેન્ટ, વિગેરેનો સમાવેશ વાસ્તુમાં થાય છે.
5) રૂપ્પ એટલે રૂપુ: ચાંદી વિગેરેના દાગિના, અલંકારનો સમાવેશ રૂપ્પમાં થાય છે.
6) સુવન્ને એટલે સુવર્ણ જેમાં નહી ઘડેલું સોનું, લગડી, પાટ, બિસ્કીટ વિગેરેનો સમાવેશ થાય છે.
7) કુવિચ એટલે: કુપ્ય જેમાં તાંબુ આદિના વાસણો તેમ જ ઘરવખરી દરેક જાતના ફર્નિચરનો સમાવેશ કુવિયમાં થાય છે.
8) દુપએ એટલે : બે બગવાળા જેમાં દાસ, દાસી, રસોઇયા, રામા વિગેરે માણસોનો સમાવેશ દુપએમાં થાય છે.
9) ચઉપ્પયંમિ એટલે : ચાર પગવાળા જેમાં હાથી, ઘોડા, ઉંટનો સમાવેશ ચઉપ્પયંમિમાં થાય છે.

 

સ્વરૂપ

રોકડ, અનાજ, ખેતર, મકાન, સોનું ö રૂપું, ઝવેરાત, રાચરચીલું, નોકરöચાકર, ઢોર öઢાંખર આ નવવિધ પરિગ્રહનું જુદું જુદું પ્રમાણ નિયત કરવું અથવા બધાનું ભેગું અમુક રકમનું ધારવું.
1. રોકડ 2. અનાજ 3. ખેતર 4. મકાન 5. સોનું-રૂપું 6. ઝવેરાત 7. વાસણ-કુસણાદિ, રાચરચીલું 8. નોકર-ચાકર 9. ગાય, ભેંસ, બળદ, ઘોડા વગેરે અમુક પ્રમાણથી વધારે રાખવું નહિ અથવા તમામ વસ્તુનું એકંદર પ્રમાણ અમુક રૂપિયાથી વધારે રાખવું નહિ. જો વધારે થાય તો તરત ધર્માર્થ કરવું.

વિકલ્પો

1. જીવનપર્યંત (અમુક) વર્ષ સુધી ધન (અમુક) (કુલ પ્રમાણ) રૂપિયાથી વધારે રાખીશ નહિ. 2. જીવનપર્યંત (અમુક) વર્ષ સુધી ધાન્ય (અમુક)  કિલોથી વધારે રાખીશ નહિ. 3. જીવનપર્યંત (અમુક) વર્ષ સુધી ખેતર, જમીન (અમુક)  વારથી વધારે રાખીશ નહિ. 4. જીવનપર્યંત (અમુક) વર્ષ સુધી મકાન (અમુક) થી વધારે રાખીશ નહિ. 5. જીવનપર્યંત (અમુક) વર્ષ સુધી સોનું, સોનાના દાગીના (અમુક) કિલો (કુલ) થી વધારે રાખીશ નહિ. 6. જીવનપર્યંત (અમુક) વર્ષ સુધી ચાંદી, ચાંદીના દાગીના/વસ્તુ (અમુક) કિલો (કુલ) થી વધારે રાખશ નહિ. 7. જીવનપર્યંત (અમુક) વર્ષ સુધી સોના, ચાંદી સિવાયની ધાતુઓ (અમુક) કિલો તથા રાચરચીલું (અમુક) થી વધારે રાખીશ નહિ. 8. જીવનપર્યંત (અમુક) વર્ષ સુધી દાસ / દાસીની સંખ્યા (અમુક) થી વધારે રાખીશ નહિ. 9. જીવનપર્યંત (અમુક) વર્ષ સુધી વાહનોની સંખ્યા (અમુક) થી અને પશુઓની સંખ્યા (અમુક)થી વધારે રાખીશ નહિ.

પૂરક નિયમો

1. વધારે કમાવા માટે વધુ પ્રવૃત્તિ કરવી નહિ, પરંતુ જે કમાયા હોય તેમાંથી ધર્મ માર્ગે સદુપયોગ કરવાની વૃત્તિ જરૂર રાખવી.
2. આવકના 50 ટકા કે 25 ટકા કે અમુક ભાગ સાતક્ષેત્રે વાપરવો.

જયણા

ભેટ, સોગાદ કે લેણöદેણ તેમજ અનામત વગેરેમાં કિંમત વધી જતાં તથા જાણતાં અજાણતાં પ્રમાણાતીત થાય તેની જયણા, પરંતુ પછીથી પ્રમાણસર કરી લેવું.
ધ્યેય
પરિ એટલે નાગપાશની જેમ વ્યક્તિને ચારે બાજુથી ગ્રહે છે અર્થાત્ ગ્રસે છે, પછી વ્યક્તિને તેમાંથી છૂટવું મુશ્કેલ  પડે તે પરિગ્રહ. ત્રીજા વ્રતના ધ્યેયમાં જણાવ્યા મુજબનો સંતોષ રાખવો. વધારે સંગ્રહખોરીથી વધારે મૂર્ચ્છા અને પાપબંધ થાય છે. પરિગ્રહમાં ધારેલ પ્રમાણથી વધુ મેળવવાની લાલસા કે પ્રવૃત્તિ ન રાખવી. અંતે તો સર્વ મૂકીને જવાનું છે, આત્માથી પર છે. આથી લક્ષ્મી, પરિવાર શરીર આદિ કોઈપણ પદાર્થ ઉપર ગૃહસ્થપણામાં પણ મૂર્ચ્છાöમમતા રાખવી નહિ. અનાસક્તભાવે જીવતાં શીખવું અને નિર્ગ્રન્થ પદ પામવાનું ધ્યેય રાખવું.

અતિચારો

1. ધન ö ધાન્ય પરિમાણાતિક્રમ ö ધન ö ધાન્યના ધારેલા પ્રમાણનું સ્વપુત્રાદિના નામે ચઢાવી ઉલ્લંઘ કરવું તે.
2. ક્ષેત્ર, વાસ્તુ, પરિણામાતિક્રમö ખેતર આદિ સ્થાવર વસ્તુનું પરિમાણ ઉલ્લધવું તે. ઘર કરી નાખી ઉલ્લંધન કરવું તે. ધારેલા મકાન વગેરેમાં ધાર્યા કરતાં અધિક માળ બંધાવવારૂપ ઉલ્લંધન કરવું તે.
3. રૂપ્ય, સુવર્ણ, પરિમાણાતિક્રમ ö સોનાö ચાંદી આદિનું ધારેલું પ્રમાણ સ્ત્રાળ કે પુત્રના નામ પર ચડાવી દે, કે પોતાની સ્ત્રાળ કે પુત્રને આપી દઈ ઉલ્લંધન કરવું તે.
4. કુપ્ય પરિમાણાતિક્રમ ö ત્રાંબાદિ ધાતુ અને રાચરચીલાના પ્રમાણનું નાનુંöમોટું કરી ઉલ્લંધન કરવું તે. જેમ કે નાના થાળના મોટા થાળ કરાવીને સંખ્યા ઓછી કરી નાખી ઉલ્લંધન કરવું તે.
5. દ્વિપદ, ચતુષ્પદ પરિમાણાતિક્રમö સ્ત્રાળö પત્ની, દાસöદાસી તથા જાનવરનું ધારેલું પ્રમાણ ઉલ્લંધવું તે. સગર્ભા ગાય આદિને એક ગણીને તેના બચ્ચાનો જન્મ થયા પછી તેને પ્રમાણથી વધારે ન ગણવું તે.
જે જીવો પરિગ્રહમાં મમતા-આસક્તિ-વાળા હોય છે, તે મૂર્ચ્છામાં જ આરંભ સમારંભ કરે છે અને હિંસા, અસત્ય, ચોરી આદિ અનેક પાપો આચરે છે તેથી દુર્ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે. ઉત્તમ જીવોએ આ વ્રત અવશ્ય લેવું જેથી આત્માનું ભવભ્રમણ ટળે અને મુક્તિ મળે.

 

5mmansheth

રાજગૃહી નગરીમાં જ્યારે શ્રેણિકરાજા રાજ્ય કરતા હતા ત્યારની આ વાત છે. રાણી ચેલ્લણા સાથે રાજા મહેલની ખીડકીમાં બેઠા હતા.  અષાઢની મેઘલી રાત હતી, ઝરમર મેઘ વરસતો હતો ને વિજળી પણ ચમકતી હતી. મહેલથી થોડે જ દૂર નદીમાં પાણી ઉભરાતા હતા. નદીમાં તણાઇ આવતા લાકડા એક માણસ પાણીમાં પડી ખેંચીને કાંઠે લાવતો હતો. વિજળીના ચમકારામાં આ દૃશ્ય ચેલણા રાણીએ જોયું અને આýાર્ય થયું, કારણ કે શ્રેણિકના રાજ્યમાં કોઇ દુઃખી નથી તો આપણા જ નગરમાં આવો ગરીબ માણસ વસે છે?  રાજાએ તરત માણસ મોકલી તે ગરીબ માણસને બોલાવ્યો અને પુછ્યું `એલા તું કોણ છે? આખું નગર ઘરમાં બેસી આનંદ માણે છે ત્યારે તું આવું સાહસ અને પરિશ્રમ શાને માટે કરે છે? ઉત્તર આપતા તેણે કહ્યું `મહારાજ! હું વણિક છું, મારું નામ મમ્મણ છે, મારા ઘરે બળદની એક સારી જોડ છે તેમાં એક બળદનું એક શિંગડું બનાવવું બાકી છે તે માટે હું સતત પ્રયત્ન અને ચિંતા કર્યા કરું છું.
આ સાંભળી વિસ્મિત થયેલા રાજાને થયું `કેવાંક બળદ હશે? બિચારો કેવો ધ્રુજે છે વરસાદના પવનમાં લાવને હું જ તેનું શિંગડું કરાવી દઉં ને રાજાએ પૂછ્યું `કેટલા દ્રવ્યનો વ્યય એ એક શિંગડું પુરુ કરવામાં થાય?' મમ્મણે કહ્યું મહારાજ એ તો જોયા વિના આપને ખબર નહી પડે, જેવા ત્રણ શિંગડા છે તેવું જ ચોથું પણ કરાવવાનું છે.' સાંભળીને કૌતુક પામેલા રાજા રાણી સાથે બીજા દિવસે મમ્મણના ઘરે ગયા એક પછી એક ઓરડા વટાવી અંદર એક અંધારીયા ઓરડામાં તેઓ પહોંચ્યા અને ખોલતા જ ઓરડો ઝળહળ થવા લાગ્યો, જોયું તો બે મોટા સોનાના રત્નજડીત વૃષભ ઊભા હતા, જ્યાં એવા ઉચિત હોય ત્યાં તેવા જ રત્નો તેમાં ગોઠવેલા હતા. શિંગડા, ખરી, મોઢું વગેરે રિષ્ઠ રત્નોથી બનાવેલા, આંખો પણ જાણે સાવ સાચી જણાય તેવા દુર્લભ રત્નોની હતી. આ વૃષભ (બળદો) તેનો ઘાટ, સોના-રત્નોની ઝીણવટભરી ચમત્કારી રચના જોઇ રાજા તો માથું ધુણાવવા લાગ્યા. રાણીને કહ્યું `આવા રત્નો તો આપણાં રાજકોષમાંય નથી આને ક્યાંથી આપવું? ક્યાંથી આપણને પોષાય? આપણી શક્તિ બહારની વાત છે. આવા બળદ તો ક્યાંય જોવા મળે તેમ નથી. મમ્મણશેઠ! તમે હવે શી રીતે આ કાર્ય પુરુ કરશો?
મમ્મણે કહ્યું સ્વામી! આ શિંગડા માટે મારો પુત્ર વહાણવટું કરે છે અમે જરાય ખોટો ખર્ચ કરતા નથી, સમય જરાય કોઇ વેડફતા નથી. રાંધવા ખાવામાં એક જ વસ્તુ `ચોળા' એક તપેલામાં તૈયાર, ઉપર થોડું તેલ નાખવાનું! એવા સ્વાદિષ્ટ લાગે કે ન પૂછો વાત. હું કોઇ ધંધો કરું તો મૂડી રોકાય, ખોટું સાહસ કરવું પડે, હાનિ પણ થાય, માટે રાતના તણાતા લાકડા ભેગા કરી વેચું છું. કોઇવાર આમાં ઓચિંતો લાભ પણ થઇ જાય આમાં મને મળી રહે છે. એટલે શિંગડું તૈયાર થઇ જશે. ઘણા વખતથી એક જ ઇચ્છા છે કે આ બળદનું સુંદર જોડલું તૈયાર થઇ જાય.
મમ્મણની અસીમ કંજુસાઇ જોઇ રાજા-રાણી એકબીજાની સામે આંખો ફાડી જોવા લાગ્યા, તેઓ મોઢામાં આંગળા નાખી ગયા. અરે! આવી કૃપણતા! રાજા-રાણી અકલ્પ્ય આýાર્ય પામી ઘરે પાછા આવ્યા. મમ્મણ બિચારો કાળી મજૂરી કરતો રહ્યો. છેવટે તેનું જીવન પુરું થઇ ગયું પણ ઇચ્છા પૂરી ન થઇ મરીને તે ઘોર પરિગ્રહની કાંક્ષાથી નરકમાં ગયો.

5vidyapati

પોતનપુર નામના નગરમાં વિદ્યાપતિ નામનો વેપારી રહેતો હતો. તેની પત્નીનું નામ શૃંગાર સુંદરી હતું. પૂર્વભવમાં કરેલી આરાધનાના પ્રભાવે તેની પાસે સમૃદ્ધિની રેલમછેલ હતી. માત્ર તેની પાસે સંપત્તિ જ પુષ્કળ હતી એમ નહિ ગુણો પણ અઢળક હતા.  જિનેશ્વર પરમાત્મા તથા તેમના શાસન પ્રત્યે તીવ્ર રાગ હતો. ઉત્કટ શ્રદ્ધા હતી. પ્રાપ્ત થયેલા ધનનું અભિમાન તો જરાય નહોતું. પોતાના ભોગવટા માટે જેટલા ધનનો ઉપયોગ કરતો હતો તેના કરતા વધારે દાનમાં વાપરતો હતો. તેના આવા ગુણોના પ્રભાવે લક્ષ્મીદેવી સતત તેનું સાન્નિધ્ય કરતી હતી. દિન, પ્રતિદિન તેની પાસે સંપત્તિ વધતી જતી હતી.
એક રાત્રિની વાત છે, વિદ્યાપતિ શેઠ સૂતા હતા અને અચાનક રૂમઝુમ રૂમઝુમ અવાજ આવવા લાગ્યો, ઝાંઝરનો રણકાર થયો. શેઠ ઝબકીને જાગી ગયા, આંખો ચોળવા લાગ્યા ત્યાં તો સામે શેઠજીને સાક્ષાત લક્ષ્મી દેવીના દર્શન થયા, દેવી એ કહ્યું તમારા પુણ્યના પ્રભાવે અત્યાર સુધી હું અહી રહી છું, પણ હવે તમારું પુણ્ય પરવારવાનું છે. બસ! નવ દિવસ માટે જ હું અહીં છું, પછી તમારા ઘરેથી હું ચાલી જવાની છું. આટલું કહીને લક્ષ્મીમાતા અદૃશ્ય થઇ ગયા.
વિદ્યાપતિ શેઠ વિચારમાં વડી ગયા `શું આ સત્ય છે કે સ્વપ્ન? ચીમટો કાઢી તેમણે ખાતરી કરી લીધી ના, સ્વપ્ન નથી નIર સત્ય છે! શું હું નવ દિવસ પછી નિર્ધન થઇ જઇશ? આવા વિચારો આવવા લાગ્યા ત્યાં તેમની પત્ની શૃંગારસુંદરી એ તેમને જાગતા જોઇ પૂછ્યું, શું થયું કેમ ઉદાસ છો?

 

વિદ્યાપતિએ તેને હકિકતની જાણ કરી અને `નવ દિવસ પછી હું વિદાય લઉ છું' માતા લક્ષ્મીના શબ્દોથી હું ખળભળી ગયો છું, તેઓ જાતે જ આવીને કહી ગયા તો તેમને શી રીતે રોકી શકાય? તેઓ જશે તો આપણું શું થશે? એ વિચારે હું મુંઝાઇ ગયો છું.
જિનશાસનને પામેલી આ શ્રાવિકા તો આ શબ્દો સાંભળતા હસી પડી, વિવેક પૂર્વક તેણે જવાબ આપ્યો, સ્વામી, લક્ષ્મી તો ચંચળ છે કદી કોઇને ત્યાં કાયમ રહેનારી નથી, વળી આપણે તો મોક્ષાર્થી જીવો છીએ ત્યાં પહોંચવામાં રૂકાવટનું કામ લક્ષ્મી કરે છે તેની પાછળ આસક્ત થઇને શું કામ છે? જ્યાં સુધી આપણું પુણ્ય જોર કરતું હતું, ત્યાં સુધી આપણે તેને ભોગવ્યું હવે જો પુણ્ય પરવારતું હોય અને તેથી લક્ષ્મી ચાલી જતી હોય તો આપણે તેને પ્રેમે વિદાય આપવી જોઇએ. લક્ષ્મી જાય તો ભલે જાય, આપણી સજ્જનતા ન જવી જોઇએ. આપણો વિવેક નાશ ન પામવો જોઇએ. લક્ષ્મીની રેલમછેલ મળી તો આપણે સુપાત્રદાન, સાતક્ષેત્રમાં વ્યય વગેરે કરવા દ્વારા સદુપયોગ કરી લીધો. હવે ગરીબી આવે તો આપણે તપýાર્યાનો માર્ગ લેવાનો. દાનનું જેટલું માહાત્મ્ય છે તેટલું તપનું પણ છે તેને સાધવાનો અવસર આવી રહ્યો છે. આપણે હજુ વધુ ઉલ્લાસિત થઇ આવનાર પરિસ્થિતિને વધાવવા તૈયારી કરવી જોઇએ. અને લક્ષ્મી તો હજુ આપણી પાસે જ છે ને એ તો દસમા દિવસે જવાની છે. તે જાય તે પહેલાં જ આપણે તેને માનભરી વિદાય કેમ ન આપીએ? નવે દિવસ આપણે જ તે સંપત્તિને સાતક્ષેત્રમાં છુટા હાથે વાપરીએ. ત્યાર પછી ભગવાને બતાડેલ પરિગ્રહ પરિમાણ વ્રત લઇ સામેથી લક્ષ્મીદેવીને પ્રેમે વિદાય આપીએ બરોબરને?
બન્ને જણ આ મતથી સંમત થઇ સવારથી જ દાન દેવાનું શરૂ કરી દેવું તેવો નિર્ણય લઇ ઘસઘસાટ સૂઇ ગયા. સવાર પડતા જ શેઠ-શેઠાણીએ મન મૂકીને દાન દેવાનું શરૂ કર્યું. બધું જ દઇ દેવું એવા ભાવમાં સ્થિર રહી બધું જ લૂંટાવી દીધું આવતીકાલની પણ ચિંતા નથી પછી વિદ્યાપતિ શેઠે પરિગ્રહ પરિમાણવ્રત સ્વીકાર્યું અને દરેક વસ્તુનું પરિમાણ નIાળ કર્યું. ઓછામાં ઓછો પરિગ્રહ જોડે રાખવો અને ધીમે ધીમે વિતરાગ દેવની જેમ જ નિષપરિગ્રહી થવું તેવી વૈરાગ્યની ધુણી લાગવા લાગી. પરમાત્માનો માર્ગ તેને સમજાઇ ગયો, ધન, સંપત્તિ અને સાંસારિક સામગ્રીઓ ઉપર મોહ ઓછો થયો.
પરિગ્રહ પરિમાણ વ્રત લીધા પછી તેણે પોતાની પત્નીને કહ્યું, સવાર પડશે, યાચકો આપણી પાસે દાન મેળવવા આવશે, પણ આપણી પાસે તો હવે કાંઇ જ નથી તેમને આપ્યા વિના તેમના દીન-મુખને જોઇ આપણે શી રીતે જીવી શકશું? તેના કરતા મને લાગે છે કે આજે મધ્યરાત્રીએ જ આપણે આ ગામ છોડીને બીજે જતા રહીએ. આપણા વ્રતનું બરાબર પાલન કરવાપૂર્વક સમાધિમય જીવન જીવીએ. મધ્યરાત્રીએ જાગી દીવડો પ્રગટાવ્યો, પણ આ શું? આýાર્ય!!! ગઇ કાલે તમામ સંપત્તિ દાનમાં આપી દીધી, ઘરમાં કાંઇ જ નહોતું છતાં આખું ઘર પહેલાની જેમ સંપત્તિથી ઊભરાયેલુ દેખાયું બન્ને એક બીજા સામે જોવા લાગ્યા. શેઠે કીધું દસમા દિને તો આ લક્ષ્મી જવાની જ છે પણ આપણે તો સાંજ પહેલા જ બધી લક્ષ્મી દાનમાં આપી તોય લક્ષ્મી જવાનું નામ લેતી નથી, પણ આપણે નIાળ કરેલા પરિગ્રહ પરિમાણથી વધારે આપણાથી ન રખાય માટે કાલે સવારે આ બધું જ આપી દઇશું. બીજા દિવસે સવારે બધી જ લક્ષ્મી દાનમાં આપી દીધી છતાં ત્રીજા દિવસે સવારે પણ ઘર સંપત્તિથી પાછું છલકાઇ ગયું. તેમ નવ દિવસ સુધી ચાલ્યા જ કર્યું અને નવમા દિનની રાત્રીએ બન્ને એકદમ નિýિાંત બની ગયા, હાશ! હવે છુટશું આવતી કાલે દસમો દિવસ છે, લક્ષ્મીજી વિદાય લેશે આપણે આત્મિક આરાધનામાં વધુ લીન બનશું. મધ્યરાત્રીનો સમય થયો. રૂમઝુમ રૂમઝુમ અવાજ ફરી સંભળાયો. અને લક્ષ્મી દેવી એ પાછા દર્શન દીધા, વિદ્યાપતિ કહે છે, પધારો માતા ! હું આપને પ્રેમે વિદાય આપું છું, આપ ખુશીથી હવે પધારો.'
`અરે ભાગ્યશાળી! તે તો કમાલ કરી દીધી લગાતાર નવ દિવસ સુધી દાન દઇને તે એવું અઢળક અને તીવ્ર પુણ્ય બાંધ્યું છે કે હું હવે અહીં જ બંધાઇ ગઇ છું. જવા માગું તો પણ જઇ શકું તેમ નથી. હવે હું તારુ ઘર છોડીને ક્યાંય નહિ જઇશ. તુ તારી ઇચ્છા પ્રમાણે હવે સુખ માણ' આમ કહી લક્ષ્મી માતા અદૃશ્ય થઇ ગયા. વિદ્યાપતીએ શેઠે નજર કરી તો આખી હવેલી ધન-ધાન્ય અને સંપત્તિથી ભરેલી હતી. શૃંગારસુંદરી પણ નજરોનજર પુષ્કળ સંપત્તિના ભંડારો જોઇને આýાર્ય પામી. તેના મનમાં ખાતરી થઇ ગઇ કે પુણ્યના પ્રભાવે હવે લક્ષ્મીજી અહીં જ સ્થિર થઇ ગયા છે. વિદ્યાપતિ શેઠનો અંતરાત્મા હવે અત્યંત જાગી ગયો હતો, ચંચળ લક્ષ્મી અને તેની અસારતાને તેને સાક્ષાત અનુભવી લીધી હતી. તેને કહ્યું જો રોજ રોજ આપણે સંપત્તિનું દાન કરતા રહીશું ને રોજ રોજ નવી સંપત્તિ આપણને પ્રાપ્ત થયા કરશે. એમ તો આપણને દાનનું વ્યસન પડી જશે, વળી મન તો ચંચળ છે, લાલચુ છે કદાચ વધુ ધન જોઇને લલચાઇ જાય તો મારું પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત તુટી જાય. ના.. ના.. એ તો કોઇ રીતે ન પોષાય. તેથી મને લાગે છે કે આપણે ઘર છોડીને દૂર દૂર કોઇ ગામડામાં ચાલ્યા જઇએ અને આ લક્ષ્મીની મોહમાયામાંથી મુક્ત બનીયે.
પતિની ધર્મપ્રિયવાણી સાંભળી શૃંગારસુંદરીને ઘણો આનંદ થયો, બન્ને નવકારમંત્રનું સ્મરણ કરતાં કરતાં નગર બહાર જવા આગળ વધ્યા. જે પુણ્યાત્માઓ પોતાની ઇચ્છાને અટકાવી અલ્પ પરિગ્રહી અને અલ્પ આરંભી બને છે તેઓને સુખ સમૃદ્ધિ મળે છે તેમ જ ધર્મની પ્રાપ્તિ અને સિદ્ધી સ્હેજ માત્રમાં મળે છે. વિદ્યાપતિ શેઠ અને શૃંગાર સુંદરી ક્રમશઃ સંયમસૂરિ નામના આચાર્ય ભગવંત પાસે દીક્ષા જીવન સ્વીકારી જ્ઞાન-ધ્યાનની સાધના આરંભી. ઘોર તપýાર્યા આદરી દોષોનું દહન કરી આત્માને નિર્મળ કરવાનો પ્રયત્ન કર્યો, છેલ્લે સમાધિપૂર્વક કાળધર્મ પામીને સ્વર્ગમાં ગયા. ક્રમશઃ પાંચ ભવો આ સંસારમાં કરીને, છેલ્લે તેઓ મોક્ષમાં સિધાવ્યા.

endlne