• ત્રણ ગુણવ્રતમાં..6thvrat

  • 1
"जगदाक्रममाणस्य प्रसरल्लोमवारिधेः स्खलनं विदधे तेन, येन दिग्विरतिः कृता।। 3।।  યોગશાસ્ત્ર, બીજો પ્રકાશ."
"જેણે દશેય દિશામાં ભમવાનું પરિમાણ ધાર્યું છે, તેણે જગતને દબાવી ફેલાતા લોભસમુદ્રને રોક્યો છે."
સંસારની અવિરતિમાં પડેલો આ જીવ લોઢાના બળતા ગોળા જેવો છે, તેનાથી જ્યાં જાય ત્યાં ષડજીવનિકાયની હિંસા થાય છે.
નિષ્પ્રયોજન અધિક મુસાફરી પણ એક પ્રકારનો રોગ છે. નિયમિત કરેલા ક્ષેત્ર સિવાયના ચૌદ રાજલોકમાં જવા - આવવાનું બંધ થવાથી
તેને લગતા દોષો લાગતા નથી અને ઘણા ત્રસ-સ્થાવર જીવોને અભયદાન અપાય છે.

પહેલું ગુણવ્રત અને છઠ્ઠે દિકપરિમાણ વ્રત
ગુણવ્રત એટલે શું ?

પાંચેય અણુવ્રતના પાલનમાં તે કેવી રીતે ગુણ કર્તા છે તે સમજીએ. આપણે આગળ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત, સ્થૂલમૃષાવાદ વિરમણવ્રત, સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત, સ્થૂલ મૈથુન વિરમણવ્રત અને સ્થૂલ પરિગ્રહ પરિમાણવ્રત એમ પાંચ અણુવ્રત જોઇ ગયા. આ અણુવ્રતના પાલનમાં વિશેષ કરીને સહાયક બની ગુણ ઉપજાવી ઉપકારક બને તેને ગુણવ્રત કહેવાય છે. અથવા  જે ગૃહસ્થ શ્રાવકો / અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચ અણુવ્રતોની પ્રતિજ્ઞાનો સ્વીકાર કરે છે ત્યારે તેઓ પોતાના જીવનમાં જેટલી જરૂરિયાત છે તે કરતાં પણ અધિકાધિક જરૂરિયાત અને સગવડોને જાળવીને અણુવ્રતનો સ્વીકાર કરે છે. જેને શાસ્ત્રની ભાષામાં - હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહનો સ્થૂલ ત્યાગ (ઉપરછલો ત્યાગ) કર્યો કહેવાય. પરંતુ અસમજણથી તેઓને ઘણો ત્યાગ બાકી રહી જાય છે, આથી મહાત્માઓએ બારવ્રતોમાં ત્રણ ગુણવ્રતોને મુકી હિંસાદિ પાંચ સ્થૂલવ્રતોને કાબુમાં લેવાનો માર્ગ બતાવ્યો છે.
પહેલું દિક્પરિમાણ ગુણવ્રત પાંચેય અણુવ્રતને કેવી રીતે ગુણકારક તે સમજીયે.
કરવું, કરાવવું અને અનુમોદન કરવું આ ત્રણેનું ફળ એક સમાન છે માટે આ ગુણવ્રતમાં દશેય દિશામાં અમુક કિલોમીટર સુધી જવા-આવવાની મર્યાદા નIાળ કરવાની હોય છે, આવી મર્યાદા નIાળ કરવાથી મર્યાદા બહારની ભૂમિમાં થતા ત્રસ અને સ્થાવર જીવોની અમાપ હિંસા અને પાપોથી બચી શકાય છે. દશેય દિશામાં કન્યા, ગાય, ભૂમિ અને થાપણ સંબંધી જૂઠી સાક્ષીનું જે પાપ થાય છે તે ચારેય સંબંધી જૂઠના પાપથી બચી જવાય છે.
શાસ્ત્રમાં ગૃહસ્થને તપાવેલા લોખંડના ગોળા જેવી ઉપમા અપાઇ છે, કારણ કે તપાવેલો લોખંડનો ગોળો જ્યાં જાય ત્યાં ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરતો જાય  તેવી જ રીતે અજ્ઞાનવશ જીવ જ્યાં હોય ત્યાં મન-વચન-કાયાથી કર્યું કરાવ્યુ અને અનુમોદન થકી પાંચ પ્રકારના પાપો કરી અનંતા અશુભ કર્મબંધના ભાથા બાંધે છે આ અનંતા અશુભ કર્મબંધથી બચવા દિક્પરિમાણ વ્રત નામનું પહેલું ગુણવ્રત શ્રાવકે અવશ્યમેવ ગ્રહણ કરવું જોઇએ. જે શ્રાવકો દિક્પરિમાણ વ્રત સ્વીકારે છે તે શ્રાવકોએ દશેય દિશામાં ગમનાગમન માટે જેટલા કિલોમીટરની જયણા રાખી છે તે સિવાયના સ્થાનોમાં થતાં હિંસાદિ પાંચેય પાપોના કારણ - કરાવણના પાપોથી અટકી જાય છે.
જેમ કે શ્રાવક શ્રી સમ્યક્ત્વમૂલ બારવ્રત ઉચાર્યા છે તે શ્રાવકો પહેલે સ્થૂલપ્રાણાતિપાત વિરમણ વ્રત ગ્રહણ કરતાં હું કોઇપણ નિર્અપરાધી ત્રસ જીવોને મારવાની બુદ્ધિથી મારીશ નહિ, મરાવીશ નહિ, મારતાને અનુમોદીશ નહિ અર્થાત્ હું પોતે હિંસા કરીશ નહિ, હિંસા કરાવીશ નહિ અને હિંસા કરતાને અનુમોદીશ નહિ આ રીતની પ્રતિજ્ઞા કરે છે. શ્રાવકનું આ પચ્ચક્ખાણ સમગ્ર વિશ્વ - દુનિયાને અનુલક્ષીને થયું. હવે એ જ શ્રાવક બારવ્રતમાં છઠ્ઠા વ્રત અને પહેલું ગુણવ્રત દિક્પરિમાણ વ્રતમાં દશેય દિશામાં રોજે રોજ અમુક 100 કે 500 કિલોમિટરથી વધારે હું ગમનાગમન કરીશ નહિ એ પ્રમાણે દિક્પરિમાણ - વ્રત ગ્રહણ કરે તો તે 100, 500 કે 1000 કિલોમીટર સિવાયની દુનિયામાં થતા હિંસા, અસત્ય, ચોરી અબ્રહ્મ અને અપરિગ્રહના તમામ પાપોના કરણ, કરાવણ અને અનુમોદનાથી થતાં શુભાશુભ કર્મના અનુ-બંધથી આબાદ બચી જાય છે.

દિક્પરિમાણ વ્રત એટલે શું?

પાંચજાતિ, ચાર ગતિ અને ચોર્યાશી લાખ જીવને અનંતાકાળ સુધી ભટકવાનું બંધ કરવું હોય તો દશેય દિશા એટલે પૂર્વ, અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય, પýિામ, વાયવ્ય, ઉત્તર, ઇશાન, અધો અને ઉર્ધ્વ એમ દશેય દિશોમાં જવા આવવાની, હરવા ફરવાની અમુક કિલોમીટર સુધીની ગમનાગમન માટેની મર્યાદા નIાળ કરવી તેને દિક્પરિમાણવ્રત કહેવાય છે. આ વ્રત ગ્રહણ કરવાથી અઢાર પાપસ્થાનકોથી થતા અવિરતિજન્ય પાપોથી બચી શકાય છે. કારણકે કોઇપણ જીવ પોતાના જ શરીરથી સમગ્ર દુનિયામાં ગમનાગમન કરી શકવાનો નથી, છતાં પણ તેને જો દિક્પરિમાણ વ્રત ગ્રહણ કર્યું નથી અર્થાત્ વિરતિધર્મને અંગીકાર કર્યો નથી તો તે જીવ અઢાર પાપસ્થાનકો વડે દુનિયાભરમાં થતાં અવિરતિજન્ય પાપોને સદાયને માટે બાંધ્યા જ કરે છે.
દા.ત. કોઇક જન્મમાં જીવે વનસ્પતિ-કાયનો દેહ ધારણ કર્યો હોય અથવા કોઇ વૃક્ષનો દેહ ધારણ કર્યો છે અને તેને ત્યાગ્યા બાદ તે વૃક્ષમાંથી જો હિંસક શસ્ત્રાે બનાવવામાં આવે એને તેનાથી કોઇ જીવને દુઃખ પહોંચે તો પણ તેનું પાપ તે જીવને લાગે છે. માટે દિક્પરિમાણવ્રત લીધું હોય તે તેથી થતાં પાપોથી બંધાતો નથી.
દશ વૈકાલિક સૂત્રમાં ફરમાવ્યું છે કે, શિષ્ય પ્રભુને પ્રüા કરે છે કે હે પ્રભુ ! કેમ ચાલવું ? કેમ ઊભા થવું ? કેમ બેસવું ? કેમ સુવું? કેમ ભોજન કરવું? કેમ ભાષણ કરવું? જેથી પાપ કર્મ ન બંધાય. ત્યારે પ્રભુએ કહ્યું, ઉપયોગ પૂર્વક ચાલવું, ઉપયોગ પૂર્વક ઉભા રહેવું, ઉપયોગ પુર્વક બેસવું, ઉપયોગ પૂર્વક સુવું, ઉપયોગ પૂર્વક ભોજન કરવું,  ઉપયોગ પૂર્વક ભાષણ કરવું જેથી પાપ કર્મ ન બંધાય.

આ વ્રતના 5 અતિચારો - વિંદત્તા-સૂત્રની 19મી ગાથા.
ગમણસ્સ ય પરિમાણે, દિસાસુ ઉડ્ઢં અહે અ તિરિઅં ચ।
વુડ્ઢી સઇ - અંતરદ્ધા, પઢમમ્મિ ગુણવ્વએ નિંદે।।

 
  1. સઇ - અંતરદ્ધા - એટલે સ્મરણ યાદ ન રહેવાથી ધારેલી દિશાનું પ્રમાણ ભૂલી જવું તે
  2. ઉડ્ઢં - એટલે ઉર્ધ્વ દિશા (ઊંચી દિશા) એટલે પર્વત, માળ, ઝાડ કે વિમાનમાં જવાનું પ્રમાણ ઓળંગવું તે
  3. અહે - એટલે અધોદિશા (નીચી દિશા) એટલે ભોંયરા, નદી, કૂવા, વાવ, સમુદ્ર, ખાણમાં જવાનું પ્રમાણ ઓળંગવું તે
  4. તિરિઅં ઃ એટલે ઊંચી અને નીચી દિશાની વચલો ભાગ, તિર્યંગ દિશામાં જવાનું પ્રમાણ ઓળંગવું તે
  5. ગમણસ્સ ય પરિમાણે ઃ એટલે જુદી જુદી દિશામાં જે મર્યાદા નIાળ કરી હોય તેમાંથી એક દિશાની મર્યાદા ઘટાડી બીજી દિશાની મર્યાદા વધારવી તે ક્ષેત્રવૃદ્ધિ નામનો પાંચમો અતિચાર.

આવા અતિચાર ન લગાડવા લીધેલા વ્રતને બરોબર યાદ રાખવું જોઇએ. તે વ્રતની પ્રતિજ્ઞા ભૂલી ન જવાય તેની સતત કાળજી રાખવી જોઇએ.
આ વ્રતનું ટુંકમા સ્વરૂપ, જયણા, વિકલ્પો, નિયમો વગરે જોઇએ અને ત્યાર બાદ છઠ્ઠે દિક્પરિમાણ વ્રતના પાલન અંગે સિંહશ્રેષ્ઠીનું દૃષ્ટાંત જોઇએ.

સ્વરૂપ

ચાર દિશા, ચાર, વિદિશા, ઊર્ધ્વદિશા અને અધોદિશા મળી દશ દિશામાં જવા-આવવાનો નિયમ કરવો.

વિકલ્પો

  1. ઊર્ધ્વ (ઉપરની) દિશામાં (અમુક) અંતરથી વધુ જઈશ નહિ.
  2. અધો (નીચેની) દિશામાં (અમુક) અંતરથી વધુ જઈશ નહિ.
  3. તિર્યગ્ (તિર્ચ્છી) દિશામાં અર્થાત્ પૂર્વ આદિ ચાર દિશા તથા અગ્નિ આદિ ચાર વિદિશામાં (અમુક) અંતરથી વધુ જઈશ નહિ.
  4. આજીવન / (અમુક) વર્ષ સુધી / જીવનમાં (અમુક) વારથી વધુ પરદેશ જઈશ નહિ અથવા (અમુક) છોડીને બીજા કોઈપણ ઠેકાણે પરદેશ જઈશ નહિ.

પૂરક નિયમો

  1. ચાતુર્માસમાં દેશ/રાજ્ય/નગર બહાર જઈશ નહિ.
  2. ભારતમાં અનાર્ય તુલ્ય (અમુક) સ્થળોમાં અનિવાર્ય સંજોગો સિવાય જઈશ નહિ.

જયણા

ત્યક્ત કરેલી ભૂમિની બહારથી આવતાં છાપાં, તાર, ટપાલ, માણસ, ચીજ આદિ લેવા-મોકલવાનો ઉપયોગ કરવો પડે.
ધર્મકાર્ય, ગંભીર - અસમાધિકારક -અકસ્માત, શારીરિક વ્યાધિ આદિમાં ઉપરોક્ત નિયમોની છૂટ ગીતાર્થ ગુરુગમથી જાણવી.

ધ્યેય

સંસારની અવિરતિમાં પડેલો આ જીવ લોઢાના બળતા ગોળા જેવો છે. તેનાથી જ્યાં જાય ત્યાં ષડ્જીવનિકાયની હિંસા થાય છે. નિપ્રયોજન અધિક મુસાફરી પણ એક પ્રકારનો રોગ છે. નિયમિત કરેલા ક્ષેત્ર સિવાયના ચૌદ રાજલોકમાં જવા:આવવાનું બંધ થવાથી તેને લગતા દોષો લાગતા નથી અને ઘણા ત્રસ-સ્થાવર જીવોને અભયદાન અપાય છે. લોભરૂપી સમુદ્રની મર્યાદા થાય છે, મનની વૃત્તિ સંતોષી અને આત્માભિમુખ રહે છે. આ જાણીને શક્ય એટલું બાહ્ય દિશાગમન નિવારવું અને જ્ઞાન આદિ ઉપયોગે આત્માની અભ્યંતર દિશામાં વિચરવાનું લક્ષ્ય રાખવું.

અતિચારો

  1. ઊર્ધ્વદિક્પરિમાણાતિક્રમ : અનાભોગ આદિથી મર્યાદા કરતાં વધારે ઊંચે જવું તે.
  2. અધોદિક્પરિમાણાતિક્રમ : અનાભોગ આદિથી મર્યાદા કરતાં વધારે નીચે જવું તે.
  3. તિર્યગ્દિક્પરિમાણાતિક્રમ : અનાભોગ આદિથી મર્યાદા કરતાં વધારે દિશા : વિદિશામાં જવું તે.
  4. ક્ષેત્રવૃદ્ધિ : એક દિશામાં ખાસ કામને અંગે પ્રમાણ કરતાં વધારે જવું પડે તેમ હોય ત્યારે ધારેલી એક દિશાનું પ્રમાણ ઘટાડીને બીજી દિશાનું પ્રમાણ સ્વેચ્છાએ વધારવું તે.
  5. સ્મૃતિઅંતર્ધાન : રાખેલું પ્રમાણ ભૂલી જવું અને શંકા થવા છતાં પણ મર્યાદાથી વધુ આગળ જવું તે.

આ અતિચારોનો ત્યાગ કરવો. એક વાત યાદ રાખવી કે જિનશાસનની તમામ આરાધનાઓ ઉપયોગ - પ્રધાન છે, માટે આપણે દરેક આરાધના કરતી વખતે તમાં બરોબર ઉપયોગ રાખવો, વિશેષ જાગૃતિ રાખવી, પોતે શું કરી રહ્યા છે તે પૂરે પૂરું આપણા ખ્યાલમાં રાખવું તો આરાધના વિશિષ્ટ ફળદાયક બને છે.

6singhshreshti

વસંતપુર નગરમાં કીર્તિપાલ નામે રાજા હતો. તેને ભીમ નામનો પુત્ર અને સિંહ નામે શ્રેષ્ઠિપુત્ર મિત્ર હતો. સિંહ પરમાત્મા જિનેદ્રદેવનો અનન્ય ઉપાસક હતો. તેના હૃદયમાં ધર્મ પ્રતિષ્ઠિત હતો. તેના ઉત્તમ ગુણોને લીધે તે રાજાને ઘણો જ પ્રિય હતો. એકવાર કોઇ દૂતે રાજાને કહ્યું `મહારાજ! નાગપુરના મહારાજા નાગચંદ્રને રત્નમંજરી નામે એક અતિરૂપવતી ને ગુણવતી કન્યા છે, એને યોગ્ય તમારા યુવરાજ છે ને કુમારને યોગ્ય રાજકુંવરી છે. આવું જણાવવા અમારા મહારાજે મને વિશ્વાસુ જાણી આપની પાસે આ બાબત નિવેદન કરવા મોકલ્યો છે. માટે કુંવરી વરવા માટે કુમારને અમારી સાથે જ મોકલો તો સારું. યોગ્ય કરવાનું આશ્વાસન આપી રાજાએ દૂતને આવાસે મોકલ્યો અને પોતાના મિત્ર સિંહશેઠને બોલાવી કહ્યું `શેઠ! તમારામાં ને મારામાં કશો ફરક હું ભાળતો નથી, માટે તમે કુમારને લઇ નાગપુર જાવ અને તેના વિવાહનું બધું કામ પતાવી આવો.'
શેઠના મોઢા પર ચિંતા અને નિરુત્તર જોઇ રાજાને માઠુ લાગ્યું તેણે જરા કરડાકીથી પૂછ્યું `શું તમને આ સંબંધ ન ગમ્યો? કે આપણા સંબંધથી ધરાઇ ગયા છો?' શેઠે કહ્યું `રાજાજી, એવું કોઇ કારણ નથી, માત્ર મારા વ્રતની વાત છે. મે સો યોજન સુધી જ જવા - આવવાનો નિયમ લીધો છે. અને નાગપુર અહીંથી સવાસો યોજન દૂર છે માટે મારાથી નહિ જઇ શકાય. આ સાંભળી આગમાં ઘી હોમવા જેવું થયુ ને રાજાનો ક્રોધ ભભૂકી ઉઠયો. રાજા બરાડતા કહ્યું આપણો આટલો જ સંબંધ! અમે રાજા ને ગમે તેવા મોટા તો ય તમે પ્રજા. અમારા આજ્ઞા નહિ માનો એમ?
રાજાને એકદમ ઉકળી ગયેલા જોઇ શેઠે કહ્યું મેં તો મારા વ્રતની આપને જાણ કરી છતાં આપની આજ્ઞા હું શી રીતે તોડી શકું? આ સાંભળી રાજાએ પ્રસન્ન થઇ કુંવર તેમ જ સૈન્ય તૈયાર કરી સિંહશેઠને આગેવાની સોંપી સારા દિવસે પ્રયાણ કરાવ્યું. માર્ગે જતાં સિંહશેઠે કુમારને ઇંદ્રિયો અને મનના તમાશાની વાસ્તવિકતા સમજાવી વિષયમાં રહેલા અલ્પસુખને ડુંગરા જેવડા ક્લેશ દેખાડ્યા, આવો અદ્ભૂત બોધ પામી ભીમકુમારની સંસારવાસના જ તુટી ગઇ. કુમાર શેઠનો ઉપકાર માન્યો. ત્યાં સો યોજનનો પંથ પૂરો થતા સિંહશેઠ અટકી ગયા આગળ જવા તૈયાર થયા નહિ.

 

સેનાનાયકે એકાંતમાં કુમાર પાસે આવી કહ્યું `યુવરાજ! શેઠ આગળ વધવાની ના પાડે છે ને નીકળતી વખતે રાજાજીએ સ્પષ્ટ આજ્ઞા આપી છે કે કદાચ આ શેઠ સો યોજનથી આગળ જવાની ના પાડે તો તેને બાંધીને પણ નાગપુર લઇ જવો. આ વાત જાણી કુમારે પોતાના ધર્મગુરુ સમાન શેઠને જણાવી, સિંહશેઠે કુમારને કહ્યું `કુમાર! આ સંસાર આખામાં ક્યાંય સાર નથી અરે! આ શરીર જ આપણું નથી તો ત્યાં બીજું તો કોણ થાય ને શા માટે થાય! માટે હું પાદપોગમ (વૃક્ષની જેવી સ્થિરતાવાળુ) અણસણ લઇશ. પછી મારા શરીરનું જેને જે કરવું હોય તે ભલે ને કરે.'
એમ નિર્ણય કરી સિંહશેઠે જેમ અણસણ લેવા ઉપડ્યા. કુમાર પણ સાથે ચાલ્યો. આ તરફ રાત્રિ પડી. કુમારને શેઠ બંને ક્યાંય દેખાતા નથી. ઘણી તપાસને અંતે સવારના પહોરમાં સૈનિકો એક પર્વત પર ચડ્યો તો ત્યાં દીક્ષા અને અણસણ આદરી બેઠેલા બંનેને જોઇ સેનાધ્યક્ષ અને સૈનિકો તેમને પ્રણામ કરવા લાગ્યા. પોતે રાજાથી ભયભીત થઇ અમારે શું કરવું, એમ શેઠને પુછવા લાગ્યા, પણ સંતોષરૂપી અમૃતથી તૃપ્તિ પામેલા યોગી કશી જ ઇચ્છા રાખતા નથી તેમને મન તો માટે કે સોનું, શત્રુ કે મિત્ર બધુ જ સરખુ હોય છે. તેઓ લેશમાત્ર પણ ક્ષોભ પામ્યા નહિ.
સૈનિકોએ હકિકતની રાજાને જાણ કરી, રાજાએ વાત સાંભળતા જ દોટ મૂકી, માર્ગના જાણકાર માણસ સાથે રાજા ડુંગર પર પહોંચ્યો ત્યાં તો તેના આýાર્યની સીમા ન રહી. કારણ કે સિંહ - વાઘ જેવા હિંસક પશુઓ પણ તે બંન્નેની પાસે બેસતા હતા અને પગમાં માથું મૂકતા હતા. `આમને ભક્તિથી બહુમાનથી જ પટાવવા પડશે' એમ વિચારી રાજાએ ઘણી વિનવણી કરી ને મીઠા વચનો કહ્યા પણ તેઓને તે ડગાવી શક્યો નહિ. આમ કરતા મહિનાના ઉપવાસને અંતે તેમને કેવળજ્ઞાન થયું, દેવ-દેવતાઓને સમૂહ તેમને નમવા ત્યાં આવી પહોંચ્યા ને આયુ પૂર્ણ થતા તેઓ મુક્તિ પામ્યા. તેમનો મોક્ષ જાણી કીર્તિપાળ રાજાએ દુઃખ શોકમાં શેકાતા જોરથી કહ્યું, અરે ઓ મિત્રો! સો યોજન ઉપરાંત ન જવું એવો તમારો નિયમ હતો તો હવે અમને મૂકીને અસંખ્ય યોજન દૂર શા માટે ગયા?
રાજાનો અજ્ઞાનરૂપી અંધકાર દૂર થયો, રાજા પોતાની રાજધાનીમાં પાછો આવી ધર્મમાં ઉદ્યમશીલ બન્યો. પ્રાણ તો ભવોભવ મળે છે પણ વ્રત નિયમ દરેક ભવે મળતા નથી. માટે પ્રાણ છોડવા સારા પણ સ્વીકારેલ વ્રતનો ત્યાગ સારો નહિ. આવો દૃઢ સંકલ્પ રાખી ભવ્ય જીવોએ સિંહ શ્રેષ્ઠીની જેમ દિક્પરિમાણ વ્રત ગ્રહણ કરવું.

endlne