• ચાર શિક્ષાવ્રતમાં10thvrat

  • 1
"दिग्व्रते परिमाणं यतस्य संक्षेपणं पुनः । दिने रात्रौ च देशावकाशिकव्रतमुच्यते ।।84।।, योगशास्त्र - ત્રીજો પ્રકાશ"
"દિગ્વ્રતમાં કરેલ પરિણામનો દિવસ અને રાત્રિને વિષે સંક્ષેપ કરવામાં આવે તેને દેશાવગાસિક વ્રત કહેવાય છે."
જે મનુષ્યે જીવનપર્યંત દક્ષિણમાં કન્યાકુમારી અને ઉત્તરમાં હિમાલય સુધીની દિગ્વ્રતની મર્યાદા કરી છે, તે હિમાલય કે રોજ જતો નથી, તેથી તે પ્રતિજ્ઞા કરે છે કે
"હું અમુક દિવસ સુધી મુંબઇમાં જ રહીશ, તેની બહાર જઇશ નહિ." તો તેટલા સમય સુધી મુંબઇની હદની બહાર અહિંસાનું સર્વ પ્રકારે પાલન હોવાથી
તેનું દેસાવગાસિય વ્રત ઉપચારથી મહાવ્રત નામ પામે છે.

બીજું શિક્ષાવ્રત અને દશમું
દેસાવગાસિયવ્રત

પહેલાં ગુણવ્રત અને છઠ્ઠા દિક્પરિમાણ વ્રતમાં આજીવન કે અમુક વરસો સુધી દશે દિશાઓમાં જવા આવવાની મર્યાદા બાંધેલી હોય છે. દા.ત.: આજીવન હું વિદેશનો પ્રવાસ નહિ ખેડું, દસેક વરસ સુધી અઢી હજાર માઇલ સુધી જરૂર પડે જઇશ.
આમ પ્રવાસના અંતરની મર્યાદા પહેલા ગુણવ્રતમાં બાંધેલી હોય છે. આ દશામાં દેશાવગાશિક વ્રતમાં અગાઉની બાંધેલી મર્યાદા દિવસ અને રાત માટે ઘટાડવાની હોય છે. દશે દિશાઓમાં જવાના નિયત પરિમાણનો દિવસે અથવા રાત્રે ઉપલક્ષણથી પહોર માટે સંક્ષેપ કરવો તે દેશ અને તેમાં અવકાશ - અવસ્થાન તે દેશાવકાસિક વ્રત કહેવાય.

દિગવ્રત - દિશામર્યાદા બાંધી હોય તેમાંથી અમુક કલાક માટે અમુક અંતર સુધી તે મર્યાદાનો આ દશમાં વ્રતમાં ઘટાડો કરી આરંભ - સમારંભનો ત્યાગ કરવાનો હોય છે. આ વ્રતથી બીજા સર્વ વ્રતોના નિયમોનો પણ પ્રતિદિન સંક્ષેપ કરાય છે. આથી જ પૂર્વે કહેલ `સચિત્તદવ્વ' એ ગાથામાં બતાવેલા 14 નિયમોને શ્રાવક પ્રાતઃકાળે ગ્રહણ કરે છે અને તેનું પચ્ચક્ખાણ કરતાં `દેસાવગાસિયં પચ્ચક્ખામિ' એ પદથી ગુરુ સમક્ષ કબૂલ કરે છે. આ અંગે કહ્યું છે કે `દિશિ પરિમાણ વ્રતનો નિત્ય સંક્ષેપ કરવો તે દેશાવગાશિક અથવા સર્વ વ્રતનો સંક્ષેપ પ્રતિદિન જે વ્રતમાં થાય છે તે દેશાવગાસિક વ્રત જાણવું.'

પહેલા વ્રતનો સંક્ષેપ આ પ્રમાણે સમજવો. `પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ તથા ત્રસજીવો સંબંધી જે આરંભ અને ઉપભોગ તે સર્વનો દશમાં વ્રતમાં યથાશક્તિ ત્યાગ કરવો. સૂતી વખતે તો ખાસ કરીને સર્વ હિંસા તથા મૃષાવાદનો સંક્ષેપ કરવો જોઇએ. વિરતિધર્મની વધુ નજીક જવા માટેનું આ વ્રત છે. દરેક વ્રતનો સંક્ષેપ કરવા પૂર્વક આનંદ કામદેવ આદિ શ્રાવકની જેમ સંવાસાનુમતિની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવાનું ધ્યેય રાખવું.

 

દેસાવગાસિય વ્રતના પાંચ અતિચારો
આણવણે પેસવણે, સદે્ રૂવે અ પૂગ્ગ - લક્ખેવે, દેસાવગાસિઅંમિ, બીએ સિક્ખાવએ નિંદે.

અણવણે - આનયન એટલે મંગાવવું:- નિયત ક્ષેત્રની બહારથી કોઇના દ્વારા કંઇપણ મંગાવવાથી આ વ્રતના આરાધકને આનયન પ્રયોગ નામનો પહેલો અતિચાર લાગે છે. પેસવણે - પ્રેષ્ય એટલે મોકલવું: નિયત કરેલા ક્ષેત્રની બહાર પોતાના કોઇ કામ માટે કોઇ નોકર, મિત્ર, સ્વજન આદિને મોકલવામાં આવે તો તેનાથી પ્રેષ્યપ્રયોગ નામનો બીજો અતિચાર લાગે છે. સદે્ એટલે શબ્દાનુપાત: ખાંસી કે ખોખારો ખાઇને નિયમિત ક્ષેત્રની બહાર રહેલાને પોતાની હાજરીની જાણ કરવી તે શબ્દાનુપાત નામનો ત્રીજો અતિચાર લાગે છે. રૂવે એટલે રૂપાનુપાત: પોતાનું રૂપ દર્શાવે, અર્થાત્ નિસરણી, અટારી, છાપરે કે અગાસી પર ચડી પોતાનું રૂપ બતાવે તે રૂપાનુપાત નામનો ચોથો અતિચાર લાગે છે. પુગગલક્ખેવે એટલે પુદ્ગલ પ્રક્ષેપ: ધારેલા ક્ષેત્રની બહાર કપડું, કાગળ, કાંકરો જેવી કોઇ ચીજ ફેંકીને પોતાનું કાર્ય જણાવવું તે પુદ્ગલ પ્રક્ષેપ નામનો પાંચમો અતિચાર લાગે છે.
આ વ્રત નિયત ભૂમિની બહાર ગમનાગમન વડે જીવોનો વધ ન થાય તેવા ખ્યાલથી ગ્રહણ કરાય છે. તે જીવવધ પોતે કર્યો કે બીજા પાસે કરાવ્યો તેનું કાંઇ વિશેષ મહત્વ નથી. ઉલ્ટું પોતે નિયત ક્ષેત્રની બહાર જાય તો તેમાં ઇર્યાયપથિકીની શુદ્ધિ વગેરે ગુણ હોય અને નોકરોને મોકલવાથી તેમનામાં નિપુણપણું ન હોવાથી, નિઃશંકપણું તેમ જ ઇર્યાસમિતિનો અભાવ હોવાથી વિશેષ દોષ રહેલા છે માટે આનયન પ્રયોગ વગેરે અતિચાર લગાડવા ઇચ્છનીય નથી. અહીં પહેલા બે અતિચાર `મારા વ્રતનો ભંગ ન થાઓ' એમ વ્રતને જાળવવાની સાપેક્ષવૃત્તિએ અનાભોગ વગેરેથી પ્રવર્તેલા છે અને છેલ્લા ત્રણ અતિચાર માયાવીપણાથી અતિચારપણાને પામે છે. ગુરુના વચનથી દેશાવગાશિક વ્રતને જે શ્રાવક જાણે છે, તે હિત-અહિતનો વિવેક કરી પુણ્યનું ભાતુ બાંધે છે, પૂર્વે કરેલા ઘણા પાપકર્મો ટૂંકા થાય છે અને કાળક્રમે સિદ્ધિ પામે છે.

10sumitramantri

ચંદ્રિકા નામની નગરી. પ્રજાપાલ નામે તેનો રાજા અને સુમિત્ર નામે તેનો મંત્રી. આ રાજા અને મંત્રી વચ્ચે લગભગ રોજ ધર્મના પ્રüાાે અંગે ચર્ચા થતી. રાજાને ધર્મ ઉપર ઓછી શ્રદ્ધા હતી, આથી તે મંત્રીને ધર્મતત્વોના પ્રüાાે જુદી જુદી રીતે પૂછી મૂછમાં હસતાં. એક દિવસ રાજાએ મંત્રીને પૂછ્યું `મંત્રીવર્ય! તમે આ દેવપૂજામાં શા માટે મોહ રાખો છો?' મંત્રીએ સામો પ્રશ્ન કર્યો `હે રાજન! પૂર્વભવમાં કશું પુણ્ય બાંધ્યા વિના તમે રાજા કેમ થયા?  આપણે બધા સમાન કેમ નથી? આપ રાજા અને  અમે સેવક?
રાજાઃ `પથ્થરની એક શિલા છે, તેના બે કટકા કરવામાં આવે, એમાંથી એક કટકો ભગવાનની મૂર્તિ બને છે અને બીજો કટકો પગથિયું બને છે તો આમાંથી કોણે પુણ્ય કર્યુ હશે અને કોણે પાપ? મારા મતે તો માત્ર સ્થાનક ઉપરથી જ ન્યૂનતા એ વિશેષતા ગણાય છે' રાજાની દલીલને રદિયો આપતા મંત્રીએ કહ્યું `રાજન! એવું નથી, તમારું આમ માનવું યોગ્ય નથી, કેમકે તેમાં ત્રસ જીવનો અભાવ હોવાથી તે યુક્તિ વગરનો છે. જો તેમાં ત્રસ જીવ હોય તો તે આત્મશક્તિથી પૂજ્ય અને અપૂજ્ય કર્મ ઉપાર્જે છે. બીજું તે પથ્થરમાં પણ એકેદ્રિય જીવ હોય છે તેમાનાં એક ખંડમાં રહેલા જીવે પૂર્વભવમાં મોટું પુણ્ય ઉપાર્જન કરેલું તેથી તે ભગવાનની પ્રતિમા બને છે અને તાડન, ઘર્ષણ વગેરે દુઃખ કષ્ટને પામતો નથી, જ્યારે શીલાના બીજા કટકામાં રહેલા જીવે પૂર્વે પાપકર્મ બાંધેલું હોય છે તેથી તે પગથિયું બને છે અને અનેક દુઃખ કષ્ટને પામે છે.
રાજા - `મંત્રી ! તમારી આ વાત સાચી હોય તો પણ મને તે ઉપર વિશ્વાસ નથી બેસતો. હું તો પ્રત્યક્ષ ફળ જોઇ તો મને તમારા આ પુણ્યના પ્રભાવ પર શ્રદ્ધા થાય. આ ચર્ચા બાદ થોડા દિવસ બાદ પુણ્યના પ્રભાવ પર શ્રદ્ધા થાય તેવો પ્રસંગ બન્યો.

 

તે દિવસ પાખીનો હતો. જૈન મંત્રીએ તે રાતે ઘરમાંથી બહાર નહિ જવાના પચ્ચક્ખાણ કર્યાં. એ જ રાતે રાજાને અચાનક મંત્રીનું જરૂરી કામ પડ્યું. રાજાએ મંત્રીને બોલાવવા માટે પ્રતિહારી મોકલ્યો. જૈન મંત્રીએ પ્રતિહારી સાથે રાજાને કહેવડાવ્યું કે આજે ઘરની બહાર નહિ નીકળવાનો મે નિયમ લીધો છે તેથી તમારી આજ્ઞાનું પાલન કરી શકતો નથી તો મને આ માટે ક્ષમા કરશો.
જૈન મંત્રીનો આ જવાબ સાંભળી રાજાનું અભિમાન ઘુંઘવાઇ ઉઠ્યું, પ્રતિહારને પાછો મોકલી મંત્રીની મુદ્રાને મહોર પાછા આપવા જણાવ્યું. મંત્રીએ પ્રતિહારને તુરત જ પોતાની મુદ્રા અને મહોર પાછા આપી દીધા. પ્રતિહારને મંત્રીની મુદ્રા જોઇ કુતૂહલ થયું. તેણે એ મુદ્રા પહેરી લીધી અને બીજાઓને કહેવા લાગ્યો કે `સેવકો! જુઓ, રાજાએ મને મંત્રીપદ આપ્યું.' પ્રતિહારીના આંગળીએ મંત્રીની મુદ્રા જોઇ સેવકોએ પ્રતિહારી મંત્રીનું `ઘણી ખમ્મા, મંત્રીરાજ ! ઘણી ખમ્મા !' કહીને સ્વાગત કર્યું. આ જ સમયે પ્રતિહારીના દુર્ભાગ્યની રેખાઓ ચુંટાઇ રહી હતી. પ્રતિહારી થોડુંક આગળ ગયો હશે ત્યાં કેટલાક સુભટોએ તેને ઘેરી લઇ તેની હત્યા કરી નાંખી. આ સમાચાર રાજાને મળ્યા અને રાજાને વિચાર આવ્યો નIાળ આ કામ મંત્રીનું જ હશે અને તુરત મંત્રીના ઘર તરફ નીકળ્યા. આ દરમ્યાન રાજાના સૈનિકોએ તે હત્યારાઓને પકડી લઇ બાંધી દીધા, રાજાએ ત્યાં પહોંચીને પુછ્યું કે કોણ છે આ લોકો, ત્યારે હત્યારાઓ બોલ્યા કે અમને તમારા દુશ્મન રાજા સૂરે, મંત્રીની હત્યા કરવા મોકલ્યા હતા પરંતુ આ પ્રતિહારીએ મંત્રીની મુદ્રા પહેરી હતી તે જોઇ અમે તેને મંત્રી માની તેની હત્યા કરી નાખી? રાજાની શંકાનું નિવારણ થયું, તે મંત્રીના વ્રતને ઓળખી તેને ત્યાંથી જ નમન કર્યું, અને વિચાર્યું ખરેખર રાજદંડથી ડર્યા વગર મંત્રીએ તેનું વ્રત પાળ્યુ અને મૃત્યુને ટાળ્યુ.. ખરેખર વ્રતમાં આવનાર વિઘ્નો ટાળવાની શક્તિ છે. રાજાની શંકાનું નિવારણ થયું. આ ઘટના બાદ રાજા ધર્મમાં શ્રદ્ધાવાન બન્યો. શ્રાવકને પણ દિશા સંક્ષેપ કરવાથી અણધાર્યા લાભ મળી જાય છે, માટે દિવસ અથવા રાત માટે દિશા સંક્ષેપ કરવો.

endlne