• વત્થુ સુહાવો ધમ્મો

    ।। वत्थुसहावो धम्मो ।।
    વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આત્મા એક વસ્તુ છે, તેથી આત્માનો સ્વભાવ તે આત્મધર્મ કહેવાય છે. તે સંબંધી ધ્યાન, વિચારણા તે ધર્મધ્યાન કહેવાય છે. .

    નવકારમંત્ર

  • પરમેષ્ઠિ ભગવંતો

    ।।શુદ્ધાતમ અરુ પંચ ગુરુ, જગમેં શરના દોય,
    મોહ ઉદય જિય કે વૃથા, આન કલ્પના હોય.।।

    આત્મ સિદ્ધિ તથા સાચું સુખ પ્રાપ્ત કરવા માટે વિશ્વમાં બે જ શરણ છે. નિશ્ચયથી શુદ્ધાત્મા અને વ્યવહારથી પંચ પરમેષ્ઠી ભગવંતો. તેમનું સ્મરણ નવકાર મંત્રના જાપ તથા ગહન સમજણથી થઇ શકે છે.

    નવકારમંત્ર

  • શ્રી નવકાર

    ।। નમો અરિહંતાણં ।।
    અરિહંત પદ ધ્યાતા થકો, દવ્વહ ગુણ પજ્ઝાય રે;
    ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.
    અરિહંત પદ ધ્યાતા થકો, દવ્વહ ગુણ પજ્ઝાય રે;
    ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.

    નવકારમંત્ર

  • શ્રી નવકાર

    ।। નમો સિદ્ધાણં ।।
    રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ-નાણીરે;
    તે ધ્યાતા નિજ આત્મા, હોવે સિદ્ધ ગુણખાણીરે,
    વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઇ રે;
    આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

    નવકારમંત્ર

  • શ્રી નવકાર

    ।। નમો આયરિયાણં ।।
    ધ્યાતા આચરજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે;
    પંચ પ્રસ્થાને આતમા, આચરજ હોય પ્રાણી રે.
    વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સંભાળજો ચિત્ત લાઇ રે;
    આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

    નવકારમંત્ર

  • શ્રી નવકાર

    ।। નમો ઉવજ્ઝાયાણં ।।
    તપ સજ્ઝાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે;
    ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે.
    વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્તલાઇ રે;
    આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

    નવકારમંત્ર

  • શ્રી નવકાર

    ।। નમો લોએ સવ્વસાહૂણં ।।
    અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે શોચે રે;
    સાધુ સુધા તે આતમા, શું મુંડે શું લોચે રે.
    વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઇ રે;
    આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

    નવકારમંત્ર

  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
advt03.png